વઢવાણ સુરેન્દ્રનગર ટાવર ચોક પાસેથી કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઇ
- સુરેન્દ્રનગર ટાવર ચોક પાસેથી કર્ફ્યૂ દરમિયાન ઝડપાઇ રીક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
- સુરેન્દ્રનગર કૃષ્ણનગરમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
![વઢવાણ સુરેન્દ્રનગર ટાવર ચોક પાસેથી કર્ફ્યૂ દરમિયાન ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઇ](http://soham24.in/wp-content/uploads/2021/04/વઢવાણ-સુરેન્દ્રનગર-ટાવર-ચોક-પાસેથી-કર્ફ્યૂ-દરમિયાન-ઝડપાયેલ-રીક્ષા-ચાલક-સામે-ફરિયાદ-નોંધાઇ-300x225.png)
સુરેન્દ્રનગર ટાવર ચોક પાસેથી કર્ફ્યૂ દરમિયાન ઝડપાઇ રીક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર કૃષ્ણનગરમાં રહેતા રીક્ષાચાલક સામે જાહેરનામા ભંગની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ કર્ફ્યૂ દરમિયાન હાલની પરિસ્થિતિમાં બહાર નીકળવા માટે અવરજવર કરવા માટે સક્ષમ અધિકારી દ્વારા કર્ફ્યૂ દરમિયાન આપવામાં આવેલ કોઈ પાસ કે પરમિશન વગર રાત્રિના 8 વાગ્યા પછી પોતાના હવાલા વાળી સીએનજી રીક્ષા ઘરની બહાર નીકળતા ઈસમને ટાવર પાસેથી ઝડપી લઇને તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.
આ બનાવની પોલીસ કર્મચારી અમિતભાઈ મહેતાએ કૃષ્ણનગરમાં રહેતા અલ્પેશભાઈ હિરવાણીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજડિયા ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર ટાવર પાસેથી રાત્રી કર્ફ્યુ દરમિયાન ઝડપાયેલ બાઈક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ