Anindra Vidyalaya – અણીન્દ્રા વિદ્યાલયમાં ‘ચાલો શીખીયે’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Photo of author

By rohitbhai parmar

Anindra Vidyalaya – અણીન્દ્રા વિદ્યાલયમાં ‘ચાલો શીખીયે’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Google News Follow Us Link

અણીન્દ્રા વિદ્યાલયમાં 'ચાલો શીખીયે' અંતર્ગત કાર્યક્રમ યોજાયો

એમ.આર.ગાર્ડી વિદ્યાલય – અણીન્દ્રા મુકામે શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ વિશેષ દિન તરીકે મુખ્ય થિમ ‘ચાલો શીખીયે’ અંતર્ગત કાર્યક્રમનું શાળાના કોમર્સ શિક્ષક શ્રી ચંદ્રેશભાઇ ઝીંઝુવાડીયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના કોમર્સ શિક્ષક શ્રી ચંદ્રેશભાઈ દ્વારા રચિત ‘નામું અમારું પ્રિય’ કાવ્યનું શાળાના સિનિયર શિક્ષક શ્રી બી.આર.કલાડિયા દ્વારા વિમોચન કરાવવામાં આવ્યું હતું.

અણીન્દ્રા વિદ્યાલયમાં 'ચાલો શીખીયે' અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વિશેષ દિનની ઉજવણીમાં ધોરણ-11 કોમર્સના ભાઈઓ બહેનોએ ભાગ લિધો હતો. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થિની બહેન લખતરીયા દિવ્યાબહેન દ્વારા કાવ્ય ગાન કરી કાવ્યને રજૂ કરેલ હતું. વાણિજ્ય જેવા વિષયમાં અભ્યાસના મુદ્દાઓને યાદ રાખવાની જુદી-જુદી પદ્ધતિઓ અંગે કોમર્સ શિક્ષક શ્રી ચંદ્રેશભાઇ દ્વારા સમજ આપવામાં આવી હતી.

અણીન્દ્રા વિદ્યાલયમાં 'ચાલો શીખીયે' અંતર્ગત કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ વિષયને ગમતો બનાવે તેમાં રસ કેળવે તે અંગેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી ચંદ્રેશભાઇ ઝીંઝુવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

Widow Mata Bhojnalaya – નિર્ધાર દ્વારા વિધવા માતા ભોજનાલયનો શુભારંભ કરાયો.

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link