વઢવાણ સુરેન્દ્રનગરમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રસીકરણ જાગૃતિ અભિયાન હાથ ધરવાની માંગ કરાઈ
- સુરેન્દ્રનગરમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
- રસીકરણ જાગૃતિ અભિયાન હાથ ધરવાની માંગ કરાઈ.
- લોકો રસી લેવા બાબતે ઉદાસીનતા અને બેદરકાર જોવા મળી રહ્યા છે.

સુરેન્દ્રનગરમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રસીકરણ જાગૃતિ અભિયાન હાથ ધરવાની માંગ કરાઈ. સુરેન્દ્રનગરમાં કોરોના રસીની ગંભીરતાને ધ્યાને લઇને સઘન અભિયાન હાથ ધરવા માંગ ઉઠવા પામી છે.
ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા લોક જાગૃતિ માટે રસીકરણ જાગૃતિ અભિયાન શરૂ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને ઉદ્દેશીને સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ અધિક કલેકટરને રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના સામે બચવા એક માત્ર ઉપાય રસીકરણ હોવા છતાં હજુ પણ કેટલાક લોકો રસી લેવા બાબતે ઉદાસીનતા અને બેદરકાર જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જો ત્રીજી લહેરા આવશે તો તે પહેલા કોરોનાની રસીકરણ અભિયાનને વધુ વેગવંતુ અને તેજ બનાવવાની માંગ ઉઠવા પામી છે.
આમ જનતાના હિતને ધ્યાને રાખી જનતામાં ફેલાયેલો ગેરસમજ અને અફવાઓ દૂર કરીને સો ટકા રસીકરણ કરવામાં આવે તે જરૂરી ઉપાય કરવાની માંગ રજૂઆતના અંતે કરવામાં આવી છે.