સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરની હડફેટે વૃધ્ધ મહિલાનું મૃત્યુ
- બે આખલાની હડફેટે આવી જતા તે રોડ પર પટકાયા હતા
- સી.જે.હોસ્પિટલમાં ખસેડાયા હતા
- ઘરે બે દિવસની સેવા બાદ અવસાન થયું હતું

સુરેન્દ્રનગરના નવા જંકશન વિસ્તારમાં આવેલ અંધ વિદ્યાલય પાછળ રામનગર શેરી નંબર – 3માં રહેતા તખુબેન નરશીભાઈ મેમકીયા (ઉં.વ.80) કચરો ફેંકવા માટે ઘર બહાર નીકળ્યા હતા. ત્યારે રસ્તા ઉપર ઝઘડતા બે આખલાની હડફેટે તખુબેન આવી જતા તે રોડ પર પટકાયા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર ખીજડીયા હનુમાન પાસે મેઈન રોડ પરથી ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ
આથી તેમને સારવાર માટે શહેરની સી.જે.હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દવા લઇ પરિવાર તેમને ઘેર લઇ આવ્યો હતો. ઘરે બે દિવસની સેવા બાદ તખુબેનનું અવસાન થયું હતું.
લખતર તાલુકાના કારેલા ગામના અરજદારે મશીનનાં જુદા જુદા સ્પેરપાર્ટ ચોરી થયાની DSP કચેરીએ રજૂઆત કરી