શિકાર કરવાની ના પાડતા યુવાન પર હૂમલો
- વાડીમાં શિકાર કરવાની ના કહેતા બોલાચાલી થઈ હતી.
- ઢીંકાપાટુનો માર મારેલ હતો
- છરી વડે હુમલોનો પ્રયાસ

સાયલાના નિનામા ગામે રહેતા યુવાન ચંદ્રકાંત વાલાભાઈ પોતાની વાડીએ ગયેલ હતા ત્યારે તેમની વાડીમાં શિકાર કરવા માટેની જાળ બાંધતા નિનામા ગામના હસુ વાધાભાઈ, રોહિત રાજાભાઈ દિનેશ રાજાભાઈ સાથે વાડીમાં શિકાર કરવાની ના કહેતા બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ ચંદ્રકાંત બપોરના સમયે ગામમાં જ રહેતા પોતાના કુટુંબીજને ત્યાં બેસવા જતા હતા તે સમયે હસુ વાધાભાઇ, રોહિત રાજાભાઈ અને દિનેશ રાજાએ પાછળ જઈ તેને પકડીને ઢીંકાપાટુનો માર મારેલ હતો અને એ વ્યક્તિએ છરી વડે હુમલોનો પ્રયાસ કરેલ હતો. આ બનાવ અંગે ઉપરોક્ત ત્રણેય માણસો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે.