સુરેન્દ્રનગર કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું
- કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બટુક ભોજનનું આયોજન
- સુરેન્દ્રનગર થી પણ સ્વયંસેવકોએ ભાગ લઈને સેવા આપી
- બાળકોને વિશિષ્ટ પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું
કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાને અડીને આવેલ બરવાળા તાલુકાના કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય દ્વારા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ધોરણ 1 થી 8 ના બાળકો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં સુરેન્દ્રનગર થી પણ સ્વયંસેવકોએ ભાગ લઈને સેવા આપી હતી. જેમાં મંદિર પરિસરમાં જ બાળકોને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોએ બાળકોને વિશિષ્ટ પ્રકારનું સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વયંસેવકોએ પણ જહેમત ઉઠાવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર વિમલનાથ ઉપાશ્રય ખાતે પશુ નિભાવ માટે રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરાયો