વઢવાણ સુરેન્દ્રનગરની ન્યુ સરદાર પટેલ વિદ્યાલય ખાતે ડિજિટલ મોનીટરીંગ સિસ્ટમ સાથેનું કોવિડ સેન્ટર
- સુરેન્દ્રનગરની ન્યુ સરદાર પટેલ વિદ્યાલય ખાતે ડિજિટલ મોનીટરીંગ સિસ્ટમ સાથેનું કોવિડ સેન્ટર શરૂ
- કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર સમાજ વ્યવસ્થા સંભાળી
- કોવિડ સેન્ટરમાંથી અનેક લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ
![વઢવાણ સુરેન્દ્રનગરની ન્યુ સરદાર પટેલ વિદ્યાલય ખાતે ડિજિટલ મોનીટરીંગ સિસ્ટમ સાથેનું કોવિડ સેન્ટર](http://soham24.in/wp-content/uploads/2021/05/વઢવાણ-સુરેન્દ્રનગરની-ન્યુ-સરદાર-પટેલ-વિદ્યાલય-ખાતે-ડિજિટલ-મોનીટરીંગ-સિસ્ટમ-300x225.png)
સુરેન્દ્રનગરની ન્યુ સરદાર પટેલ વિદ્યાલય ખાતે ડિજિટલ મોનીટરીંગ સિસ્ટમ સાથેનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરની ન્યુ સરદાર પટેલ વિદ્યાલયના બિલ્ડીંગ ખાતે પાટીદાર સમાજ દ્વારા પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ સાથે રહેવા જમવાની સુવિધા સાથે દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.
આ કોવિડ સેન્ટર સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર અને લેઉવા પાટીદાર સમાજ વ્યવસ્થા સંભાળી રહી છે ત્યારે આ પાટીદાર કોવિડ સેન્ટરમાંથી અનેક લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ પણ થયા છે.
વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ મેડિકલ સ્ટોર ધારકે મેડિસિન રાહત ભાવે આપવાની જાહેરાત કરી
અહીં આઇસોલેટ થયેલ દર્દીઓને કોઈ તકલીફ ના પડે તેને ધ્યાને રાખી હિતેશભાઈ નાયકપરા, અશોકભાઈ પટેલ, વસંતભાઇ પટેલ, વિરેન્દ્રભાઈ ઉમિયા મંદિર વાળા, આર.જી.પટેલ, જેરામભાઈ, ડૉ.વિમલભાઈ, ભુપતભાઈ પટેલ, સચીનભાઈ, ચંદ્રેશભાઇ દ્વારા આ દર્દીઓને સેવા પણ પૂરી પાડવામાં આવી રહી છે.