વરસાદની નુકસાનના પેકેજમાં ઝાલાવાડની બાદબાકીથી ખેડૂતોનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ

Photo of author

By SOHAM 24 NEWS

વરસાદની નુકસાનના પેકેજમાં ઝાલાવાડની બાદબાકીથી ખેડૂતોનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ

સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ વિરોધ કરીને હેકટર દીઠ 50 હજાર સહાય આપવાની માંગણી કરી : ખેડૂતોને બે વખત વાવેતર કરવાની નોબતથી વ્યાપક નુકસાન

Google News Follow Us Link

વરસાદની નુકસાનના પેકેજમાં ઝાલાવાડની બાદબાકીથી ખેડૂતોનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ

  • ચોમાસા દરમિયાન વરસાદ અનિયમીત રહેતા ખેડુતોને મોટાપાયે નુકશાન
  • રાજ્ય સરકાર દ્વારા ઝાલાવાડના ખેડુતોને સહાયમાં બાદબાકી
  • ખેડુતોએ અર્ધનગ્ન થઈ ને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન વરસાદ અનિયમીત રહેતા ખેડુતોને મોટાપાયે નુકશાન થયું છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા ઝાલાવાડના ખેડુતોને સહાયમાં બાદબાકી કરતા ખેડુતો દ્વારા આપના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં કેટલાક ખેડુતોએ અર્ધનગ્ન થઈ ને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી

ગત ચામોસામાં સુરેન્દ્રનગર જિલ્લામા શરૂઆતના એક રાઉન્ડ પછી વરસાદ સતત બે મહીના ખેંચાયો છે ખેડુતોએ કરેલુ વાવેતર બળી ગયુ હતું અને મોટુ નુકશાન વેઠવુ પડયું હતુ. પરંતુ આ વખતે પણ  પાછોતરો ભારે વરસાદ થયો હતો અને બીજીવાર કરેલુ વાવેતર ધોવાઈ ગયુ હતુ. આમ બે-બેવારના વાવેતર પછી ખરીફપાક ઓછો થતા ખેડુતોને ભારે નુકશાન વેઠવુ પડેલ હોવાનુ જાણવા મળે છે. કેટલાક નાના ખેડુતોએ તો તગડા વ્યાજે નાણા ઉછીના લઈને બીજીવારનુ વાવેતર કર્યું હતુ.

વરસાદની નુકસાનના પેકેજમાં ઝાલાવાડની બાદબાકીથી ખેડૂતોનો અર્ધનગ્ન હાલતમાં વિરોધ

રાજ્ય સરકારે ચોમાસામાં ખેડુતોને થયેલા નુકશાનનો સરકારી સર્વે કરાવ્યો હતો અને 33 ટકા કે વધુ નુકશાન થયુ હોય તેવા 9 જિલ્લાના 35 તાલુકાના ખેડુતો માટે જ હેકટરે 6800ની સામાન્ય સહાય આપવાનુ પેકેજ જાહેર કર્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડુતોને થયેલ નુકશાનનો સર્વે ખોટો થતા જિલ્લાના ખેડુતોને સહાયનો લાભ મળ્યો ન હોવાનું ખેડુતો માને છે.  દિલ્હી જેવા કેન્દ્રશાસિત પ્રદેશમાં ખેડુતોને હેકટર દીઠ રૂા.50,000ની સહાય જાહેર કરી છે.

સુરેન્દ્રનગર શહેરમાં આખલાએ ચાર લોકોને અડફેટે લીધા

સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તરગુજરાત અને મધ્યગુજરાતને સંપુર્ણ રીતે નુકશાનગ્રસ્ત જાહેર કરીને હેકટરદીઠ રૂા.50,000ની સહાય ચુકવવા ખેડુતોમાંથી માંગણી ઉઠેલ છે આ બાબતે  આમ આદમી પાર્ટી કિસાન સંગઠન દ્વારા સુરેન્દ્રનગરમાં આબેડકર ચોકથી જિલ્લા પંચાયત સુધી પદયાત્રા યોજીને ખેતીવાડી અધિકારી મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને ખેડુતોને પાક નુકશાની બદલ સહાય આપીને ન્યાય કરવાની માંગ કરવામા આવેલ છે.

CDS જનરલ રાવતના આજે અંતિમસંસ્કાર: દુર્ઘટનાનું કારણ શું?

વધુ સમાચાર માટે…

ગુજરાત સમાચાર

Google News Follow Us Link