Site icon સોહમ 24 ન્યુઝ

હેલ્થ : દરરોજ રાત્રે સુતા પહેલા કરો અજમાનું સેવન, આ બીમારીઓ થઈ જશે ગાયબ

હેલ્થ : દરરોજ રાત્રે સુતા પહેલા કરો અજમાનું સેવન, આ બીમારીઓ થઈ જશે ગાયબ

હેલ્થ : દરરોજ રાત્રે સુતા પહેલા કરો અજમાનું સેવન, આ બીમારીઓ થઈ જશે ગાયબ

હેલ્થ : દરરોજ રાત્રે સુતા પહેલા કરો અજમાનું સેવન, આ બીમારીઓ થઈ જશે ગાયબ

Google News Follow Us Link

અજમો એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં પારંપરિક મસાલાની રીતે કરવામાં આવે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે.

અજમો દરેક ઘરના રસોડામાં સરળતાથી મળી રહે છે. તેનું સેવન પરોઠા, પુરીથી લઈને શાકભાજીમાં પણ કરવામાં આવે છે.  સ્વાદની સાથે સાથે અજમો સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં અજમાનો ઉપયોગ તમામ બીમારીઓથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે. તેમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન ઉપરાંત એવા ઘણા ઔષધીય ગુણ હોય છે જે ઘણી મુશ્કેલીઓથી રાહત આપે છે. પેટની સમસ્યાઓ માટે અજમો રામબાણ ઔષધિ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે જો વ્યક્તિ દરરોજ રાત્રે સુતા પહેલા અજમાનું સેવન કરે તો ઘણી મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકે છે.

પાચન સંબંધી મુશ્કેલીઓ 

                 પાચન સંબંધી મુશ્કેલીઓ 

જો કોઈને પાચન સાથે જોડાયેલી મુશ્કેલીઓ રહે છે જે કે દરરોજ ગેસ, એસિડિટી, ખાટ્ટા ઓડકાર વગેરે, તો તેમણે રાત્રે સુતા પહેલા જરૂરથી અજમો ખાવો જોઈએ. તે ઉપરાંત રાત્રે અજમાને શેકીને અને ચાવીને ખાઓ અને તેની ઉપર હુંફાળુ પાણી પી લો. તેનાથી અમુક જ દિવસમાં રાહત મળવાની શરૂ થઈ જશે. કબજીયાતની સમસ્યા પણ દૂર થશે.

હાર્ટને રાખે છે સ્વસ્થ્ય 

                   હાર્ટને રાખે છે સ્વસ્થ્ય 

અજમો હાર્ટ માટે પણ ફાયદાકારક છે. હાઈ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર હૃદય રોગના જોખમને વધારે છે. અજમો તેને કંટ્રોલ કરવાનું કામ કરે છે. એવામાં હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓનું જોખમ ઓછું થઈ જાય છે હાર્ટની સમસ્યાઓથી બચવા માટે તમારે નિયમિત રીતે સુતા પહેલા અજમાનું સેવન કરવું જોઈએ.

લીંબડીની દીકરી લગ્નની પીઠીના દિવસે જ રાજકોટના ગ્રાઉન્ડમાં દોડી, પાસ પણ થઈ

કમરના દુખાવામાં રાહત 

               કમરના દુખાવામાં રાહત 

જો તમારી કમરમાં મોટાભાગે દુખાવો રહે છે અથવા સાંધામાં દુખાવાની ફરિયાદ રહે છે તો પણ અજમાનું સેવન તમારા માટે ઉપયોગી છે. તમે રોજ રાત્રે સુતા પહેલા થોડો અજમો શેકી થોડુ હુફાળા પાણી સાથે લો. આ ઉપરાંત તમે અજમો પાણીમાં નાખી તેને ઉકાળીને ગાળીને પણ પી શકો છો. દરરોજ રાત્રે આમ કરવાથી તમને થોડા જ દિવસોમાં દુખાવાથી રાહત મળી જશે.

અનિદ્રાની સમસ્યા થશે દૂર 

               અનિદ્રાની સમસ્યા થશે દૂર 

આજકાલ ઉંઘ ન આવવાની પરેશાન પણ ખૂબ કોમન થઈ ગઈ છે. જો તમારી સાથે પણ આ સમસ્યા થઈ રહી છે તો સુતા પહેલા અજમો લેવાથી તમને રાહત મળી શકે છે. તેનાથી મગજ રિલેક્શ ફિલ કરે છે અને ઉંઘ સારી રીતે આવે છે.

વઢવાણીયા રાયતા મરચાંની સોડમ વિદેશ સુધી પ્રસરી વર્ષે 3000 મણથી વધુનું વેચાણ, 20 લાખની આવક

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version