Celebration – મીનશા એકેડેમી પ્રિ સ્કૂલમાં સ્વતંત્ર દિવસની ઉજવણી
સ્વતંત્રતા દિવસ પર, રાષ્ટ્રધ્વજ ફરકાવી અને રાષ્ટ્રગીત ગાઇને સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવામાં આવે છે. આ દિવસે, ધ્વજવંદન કરવામાં આવે છે અને વિવિધ શાળાઓ, કોલેજો અને સંસ્થાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ભારત 15મી ઓગસ્ટે આઝાદીની 78મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે. વર્ષ 1947માં આ દિવસે ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. 15મી ઓગસ્ટ એ તમામ ક્રાંતિકારીઓને યાદ કરવાનો દિવસ છે જેમણે ભારત માતાને બ્રિટિશ શાસનમાંથી આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
સુરેન્દ્રનગર શહેરની મીનશા એકેડેમી પ્રિ સ્કૂલમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દરેક બાળકો નેશનલ લીડર જેવા કે સૈનિક ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મધર ટેરેસા, ભારત માતા, રાની લક્ષ્મીબાઈ વગેરે બનીને આવેલ હતા. શિક્ષકો દ્વારા સ્વતંત્ર દિવસનું મહત્વ સમજાવવામાં આવેલ હતું.
S. S. White – એસ.એસ.વ્હાઈટ કંપની દ્વારા લોકલ ક્રાઈમ બ્રાંચને ડ્રોન કેમેરો ડોનેટ