- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારસુરેન્‍દ્રનગર જિલ્‍લા તથા તાલુકા મથકોએ 12 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

સુરેન્‍દ્રનગર જિલ્‍લા તથા તાલુકા મથકોએ 12 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

- Advertisement -

National Lok Adalat – સુરેન્‍દ્રનગર જિલ્‍લા તથા તાલુકા મથકોએ 12 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

સુરેન્‍દ્રનગર જિલ્‍લા તથા તાલુકા મથકોએ 12 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

Google News Follow Us Link

સુરેન્‍દ્રનગર જિલ્‍લા તથા તાલુકા મથકોએ 12 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

  • બેંકબાકી લેણાં, અકસ્માત, લગ્નવિષયક, મજૂરકાયદો, જમીન સંપાદન, રેવન્યુ, દીવાની સહિતના કેસો હાથ ધરાશે

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના ઉપક્રમે જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્‍દ્રનગર દ્વારા સુરેન્‍દ્રનગર જિલ્‍લાની અદાલતોમાં દાખલ થયેલ કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્‍યાય મળી રહે, તે હેતુસર અલગ-અલગ વિષયો પરની નેશનલ લોક અદાલતોનું આયોજન કરવામાં આવેલ છે.

12 ડિસેમ્બરના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન

જે અન્વયે સુરેન્‍દ્રનગર જિલ્લા મથક તથા તાલુકા મથકે તા.12/11/2022ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ 138 (ચેક રિટર્ન અંગેના કેસો), બેંક લેણાના કેસો, મોટર અકસ્માત કલેઈમને લગતા કેસો, લગ્‍ન વિષયક કેસો, મજૂર કાયદા હેઠળના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઇલેટ્રીકસીટી તથા પાણીના (ચોરી સિવાયના) બીલોને લગતા કેસો, રેવન્‍યુ કેસો, દીવાની પ્રકારના કેસો (ભાડુ, સુખાધિકારના કેસ, મનાઇ હુકમના દાવા, કરાર પાલનના દાવા તેમજ અન્‍ય સમાધાન લાયક કેસો વિગેરે હાથ પર લેવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી હોનારતનાં દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ

જેને ધ્યાને લઈ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્‍દ્રનગર દ્વારા તમામ પક્ષકારોને જણાવાયું છે કે, નેશનલ લોક અદાલતમાં તેઓનો કેસ મૂકી નિર્ણિત કરવામાં આવે તો બંન્ને પક્ષકારોને લાભકર્તા છે અને બંન્ને પક્ષકારો વચ્‍ચે સમાધાનથી કેસનો નિકાલ થાય છે તથા કોઈનો પરાજય નહીં તેવી પરિસ્‍થિતિ ઉદ્દભવે છે અને તે કારણસર પક્ષકારો વિવાદ મુકત બને છે તથા કોઈ પ્રકારનું વૈમનસ્‍ય ઉદ્દભવતું નથી તેમજ પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી, પરિણામે ભવિષ્‍યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે.

જેથી આગામી તા.12/11/2022ના રોજ યોજાનાર નેશનલ લોક અદાલતમાં તેઓના કેસો મુકાવી આ નેશનલ લોક અદાલતમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી નેશનલ લોક અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ નેશનલ લોક અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. જેથી આ નેશનલ લોક અદાલતનો મહત્તમ લાભ લઈ વધુને વધુ કેસો નેશનલ લોક અદાલતમાં મુકાવી, આ અદાલતને સફળ બનાવવા જિલ્‍લા કાનૂની સેવા સત્તા મંડળની અખબારી યાદીમાં જણાવાયું છે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન મોરબી રાહત’ લોન્ચ કર્યું

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...