...
- Advertisement -
Homeગુજરાત ના સમાચારઆજે શ્રાવણનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ, અમદાવાદના શિવ મંદિરોમાં ઉમટી ભક્તોની...

આજે શ્રાવણનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ, અમદાવાદના શિવ મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ

- Advertisement -

આજે શ્રાવણનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ, અમદાવાદના શિવ મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ

  • આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે
  • શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
  • શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસનો અનોખો સંયોગ 
  • સોમવાર અને અમાસનો સંયોગ થતાં સોમવતી અમાસ છે
આજે શ્રાવણનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસ, અમદાવાદના શિવ મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
ૐ નમઃ શિવાય ફોટો: NEWS18 ગુજરાતી
આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર:

આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ સર્જાયો છે. એટલું જ નહીં સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની પૂર્ણાહૂતિ પણ સોમવારે જ થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ પણ ભાવિક ભક્તો ભોળનાથને ભજવા માટે ઉમટી રહ્યાં છે. વહેલી સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ સર્જાયો છે. એટલું જ નહીં સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસની પૂર્ણાહૂતિ પણ સોમવારે જ થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં પણ પણ ભાવિક ભક્તો ભોળનાથને ભજવા માટે ઉમટી રહ્યાં છે. વહેલી સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

અમદાવાદનું કામેશ્વર મંદિર હોય કે, બિલેશ્વર મહાદેવ, ચકુડિયા મહાદેવ હોય કે ઓમકારેશ્વર દરેક વિસ્તારોમાં આવેલાં શિવમંદિરોમાં આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ભક્તો જળાભિષેક, દૂધનો અભિષેક અને બિલિપત્ર ચઢાવીને ભગવાન ભોળાનાથને રિઝવવા વહેલી સવારથી જ શિવમંદિરોમાં પૂજા-અર્ચના અને દર્શનાર્થે ઉમટી રહ્યાં છે. કોરોનાકાળમાં દરેક શિવમંદિરોમાં ભક્તો સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ભગવાનના દર્શન કરી રહ્યાં છે.

સોમવતી અમાસનું ખાસ મહત્વ:

જ્યોતિષશાસ્ત્રો મુજબ દેવાધિદેવ મહાદેવજી, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસનો દિવસ. સોમવતી અમાસનું મહત્ત્વ એટલા માટે સવિશેષ છે કેમ કે તે સંતતિ, સંપત્તિ  અપાવનારી પુણ્યફળદાયી તિથિ છે. આ દિવસે મહાદેવજી, પિતૃ, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે. બીજી રીતે કહીએ તો આ દિવસે હર-હરિ અને પિતૃ –ની ઉપાસનાની ત્રિવેણીનો સંગમ થાય છે. ખાસ કરીને પિતૃઓની કૃપા માટે પ્રયત્ન કરવાથી સુખ-શાંતિ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સોમવતી અમાસનું ખાસ મહત્વ છે. સામાન્ય રીતે વર્ષમાં તે એકાદ-બે વખત જ આવતી હોય છે.

સામાન્ય રીતે અમાસનું મહત્ત્વ તો હોય જ છે, પણ તેમાં સોમવાર અને અમાસનો સંયોગ થતાં સોમવતી અમાસ છે અને મૌની અમાસનો પણ સંયોગ થઇ રહ્યો છે. જે એક વિશિષ્ટ સંયોગ કરાવી રહી છે. આ દિવસ શિવ-પિતૃ પૂજન માટે પણ શ્રેષ્ઠ છે. ખાસ કરીને આ દિવસે ભગવાન વિષ્ણુ અને પીપળાનાં પૂજનનું પણ કરી શકાય છે. ખાસ કરીને પીપળાની ૧૦૮ વખત પ્રદક્ષિણા પણ કરી શકાય છે. સાથે જ ‘ઓમ્ વિષ્ણવે નમ:’ મંત્રની માળા કરવી.

ટોક્યો પેરાલિમ્પિક: ભારતીય નિશાનેબાજો પર સોના-ચાંદીનો વરસાદ, મનીષે ગોલ્ડ અને સિંહરાજે સિલ્વર મેડલ જીત્યો

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Commencement of Chotila Utsav-2024 – પ્રથમ દિવસે કલાકારોએ કલાના કામણથી લોકોને મંત્રમુગ્ધ કર્યા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા

Commencement of Chotila Utsav-2024 - પ્રથમ દિવસે કલાકારોએ કલાના કામણથી લોકોને મંત્રમુગ્ધ કર્યા, પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા Google News Follow Us Link પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે બે દિવસીય 'ચોટીલા ઉત્સવ-2024'નો આજરોજ પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદી, ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ શર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને જિલ્લા વહીવટી...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.