સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે VHPના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું
- સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે VHP દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
- જેહાદી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ.
- હિન્દુ સમાજના લોકોની જમીન હડપ કરવાના ઉદ્દેશથી થતા હુમલા રોકીને કડક કાર્યવાહી કરવાની માંગ

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે VHP દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. જેહાદી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ. સુરેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ જિલ્લા જયેશભાઈ શુકલના માર્ગદર્શન હેઠળ 15 જૂનને મંગળવારના રોજ કલેક્ટર કચેરીએ દોડી જઈ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગરમાં માનવ સેવા સંઘ સંચાલિત વૃદ્ધાશ્રમની મુલાકાત લેતો કાર્યક્રમ યોજાયો
જેમાં જણાવવામાં આવ્યું હતું કે જેહાદી અસામાજિક તત્વો દ્વારા હિન્દુ સમાજના લોકોની જમીન હડપ કરવાના ઉદ્દેશથી થતા હુમલા રોકીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અને આ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા આવા અસામાજીક તત્વોને પકડી પાસાની કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અન્યથા આ મામલે આગામી સમયમાં હિન્દુ લોકો દ્વારા તાંત્રિક રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ રજૂઆતના અંતે ઉચ્ચારવામાં આવી છે.