વઢવાણ સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોવિડ-19ને ધ્યાને રાખી કાર્યકર્તાઓની વિશેષ જવાબદારી સોંપાઈ
- સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારી સામે ઝઝૂમતા કોરોના પોઝિટિવ દર્દીઓ અને સ્નેહીજનોને મદદરૂપ બનવા
- સુરેન્દ્રનગર જિલ્લા કોવિડ-19 હેલ્પ સેન્ટર ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર દ્વારા કાર્યરત કરવામાં આવ્યું છે.
![વઢવાણ સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોવિડ-19ને ધ્યાને રાખી કાર્યકર્તાઓની વિશેષ જવાબદારી સોંપાઈv](http://soham24.in/wp-content/uploads/2021/04/વઢવાણ-સુરેન્દ્રનગર-ભારતીય-જનતા-પાર્ટી-દ્વારા-કોવિડ-19ને-ધ્યાને-રાખી-300x225.png)
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા કોવિડ-19ને ધ્યાને રાખી કાર્યકર્તાઓની વિશેષ જવાબદારી સોંપાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારી સામે ઝઝૂમતા કોરોના પોઝિટિવ દર્દીઓ અને સ્નેહીજનોને મદદરૂપ બનવાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કોવિડ-19 હેલ્પ સેન્ટર ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર દ્વારા કાર્યરત કરવામાં આવ્યું છે અને આ બાબતે જે વિશેષ જવાબદારી કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે.
જેમાં વેક્સિનેશન માટે, આર.ટી.પી.સી. આર., રેપિસ ટેસ્ટ, સીટી સ્કેન, રેમડેસીવીર ઇન્જેક્શન, ઓક્સિજન બોટલ વ્યવસ્થા, હોસ્પિટલ બેડ વ્યવસ્થા, ટિફિન વ્યવસ્થા અને અટલ જન કલ્યાણ રથ સહિતની જવાબદારી કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે અને આ માટે નંબરો પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.