Gyan Sahayak Bharti – જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ્દ કરી, TET, TAT ઉમેદવારોની કાયમી કરવા માગ એબીવીપી એ સુત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ વિધાર્થીઓના હેતુ માટે અને સમાજના હિત માટે કામ કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે. હાલમાં જે ઠરાવ કરેલ છે. જે મુજબ જે TET-1-2, TAT-1 પાસ ઉમેદવારની ભરતી જ્ઞાન સહાયક 11 માસના કરાર પર કરવા જાહેર કરવામાં આવ્યું છે. જે બાબતનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.
“જ્ઞાન સહાયક” ની ભરતી TET અને TAT પરીક્ષા આધારિત થવાની છે, તો જો કરાર આધારિત ભરતીનુ આયોજન થઈ શકતું હોય તો કાયમીનુ આયોજન કેમ ન થાય? તેવા પ્રશ્નો સાથે રજૂઆત કરવામાં આવી છે.
રાજ્યના તમામ વિધાર્થીઓ અને ઉમેદવારોના ભાવીની ચિંતા કરી રાજ્ય સરકારની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવા ઠરાવ રદ્દ કરી જૂની નિમણુંક પદ્ધતિ પ્રમાણે TET 1, 2 અને TAT 1, 2 માં પાસ થયેલ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોના હિતમાં નિર્ણય કરવાની માગ કરવામાં આવી છે.
Avedan – અધિક-શ્રાવણ માસ અને પયુર્ષણપર્વમાં માંસ વેચાણ બંધ કરાવો – આવેદન