- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારસુરેન્‍દ્રનગર જિલ્લામાં માર્ચ માસમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

સુરેન્‍દ્રનગર જિલ્લામાં માર્ચ માસમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

- Advertisement -

સુરેન્‍દ્રનગર જિલ્લામાં માર્ચ માસમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

  • સુરેન્‍દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદ સ્‍થાનિક કક્ષાએ હલ
  • ફરિયાદ નિવારણ કાર્યક્રમ
  • માન. મુખ્‍યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ
  • કચેરી તરફથી યોગ્ય પ્રત્યુત્તર મળેલ ન હોય તો તેના આધારો સાથે જ અરજી કરવી
  • અરજદારોને નોંધ
સુરેન્‍દ્રનગર જિલ્લામાં માર્ચ માસમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
સુરેન્‍દ્રનગર જિલ્લામાં માર્ચ માસમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

સુરેન્‍દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદ સ્‍થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્‍યમંત્રીશ્રી તરફથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવા નકકી કરેલ છે. જે અંતર્ગત માર્ચ માસમાં તા.૨૪-૩-૨૦૨૧ના રોજ દરેક તાલુકા કક્ષાએ અને તા.૨૫-૩-૨૦૨૧ના રોજ  જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે.

ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૦–૩–૨૦૨૧ના રોજ સાંજના ૬-૦૦ કલાક સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, જે તે તાલુકાઓના મામલતદારશ્રીઓને પહોંચતા કરવા તથા જિલ્‍લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો સબંધિત ખાતા વિભાગોની સબંધકર્તા જિલ્લાકક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવા સબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે. અરજીમાં મથાળે “માન. મુખ્‍યમંત્રીશ્રીનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે.

જે રજૂઆતો વારંવાર થઇ હોય અને તેનું નિરાકરણ ન થતું હોય તેવી અરજીઓ આ લોકદરબારમાં રજુ કરતી હોવાથી જે તે કચેરી તરફથી યોગ્ય પ્રત્યુત્તર મળેલ ન હોય તો તેના આધારો સાથે જ અરજી કરવી.  અરજદારે તેઓની અરજી/પ્રશ્નો બે નકલમાં મોકલવાના રહેશે. તારીખ વિત્યા પછીની કે અસંદિગ્‍ધ અને અસ્‍પષ્‍ટ રજુઆતવાળી, એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્‍ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્‍યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરીક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. સરકારી કર્મચારીઓના સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેંકિંગ અંગેના પ્રશ્નો કે ભુકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં. જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રીની એક યાદીમાં જણાવાયું છે.

વધુ સમાચાર માટે…

 

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...