Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર રોડ ક્રોસ કરતી વેળાએ રિક્ષાને અડફેટે આધેડનું મોત

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર રોડ ક્રોસ કરતી વેળાએ રિક્ષાને અડફેટે આધેડનું મોત

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર રોડ ક્રોસ કરતી વેળાએ રિક્ષાને અડફેટે આધેડનું મોત

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર રોડ ક્રોસ કરતી વેળાએ રિક્ષાને અડફેટે આધેડનું મોત. સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર રિક્ષા અડફેટે આધેડને અડફેટે લેતાં મોત નિપજયાનું જાહેર થવા પામ્યો છે.આ બનાવની બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ય વિગત મુજબ સવારના સમયે ચાલીને નકટીવાવ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જતા હતા. તે દરમિયાન બસ સ્ટેન્ડ રોડ ઉપર રોડ ક્રોસ કરતી વેળાએ એક રિક્ષાચાલકે પોતાના હવાલાવાળી રીક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને અડફેટે લઇને શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર કારગત ન નિવડતા મોત નિપજયાનું જાહેર થવા પામ્યું છે. આ બનાવની અજાણ્યા વાહનચાલક સામે નરસિંહભાઇના પુત્ર ગૌતમભાઈ નરસિંહભાઈ કોરડીયા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ રાણા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ: મહિલાની ધાર્મિક લાગણીનો લાભ ઉઠાવી દાગીનાની ચોરી

Exit mobile version