Site icon સોહમ 24 ન્યુઝ

પાલિતાણાની પરિક્રમા કરીને પાછા ફરતા ખંભાતનાં પરિવારને નડ્યો ધોળકા પાસે અકસ્માત, ઘટના સ્થળે પાંચનાં કમકમાટીભર્યા મોત

પાલિતાણાની પરિક્રમા કરીને પાછા ફરતા ખંભાતનાં પરિવારને નડ્યો ધોળકા પાસે અકસ્માત, ઘટના સ્થળે પાંચનાં કમકમાટીભર્યા મોત

ધોળકા નજીક ગમખ્વાર અકસ્માતમાં પાલિતાણાની પરિક્રમા કરીને પાછા ફરતા ખંભાતના પરિવારને નડ્યો છે, કાર અને ટેન્કર (Accident Eco Car and Tanker) વચ્ચે ટક્કર થઇ હતી જેમાં ઇકો કારનાં કુરચા ઉડી ગયા હતાં. આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત છે.

Google News Follow Us Link

ધોળકા નજીક ગમખ્વાર અકસ્માતમાં પાલિતાણાની પરિક્રમા કરીને પાછા ફરતા ખંભાતના પરિવારને નડ્યો છે, કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં ઇકો કારનાં કુરચા ઉડી ગયા હતાં. આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત છે.

અમદાવાદ નેશનલ હાઇવે સહિત રાજ્યનાં મુખ્ય માર્ગો પર અકસ્માતની ઘટના દરરોજ બનતી રહેતી હોય છે. પણ ઘણી વખત એવાં અકસ્માત સર્જાઇ જાય છે કે જે ભયંકર આઘાતજનક હોય છે આવો જ એક અકસ્માત ધોળકા નજીક બન્યો છે. આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોનાં કમકમાટીભર્યાં મોત થયાં છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ખંભાતનો પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહ્યો હતો, આ દરમિયાન ધોળકા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. હાલમાં અકસ્માતને પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાશે, સંસદના આગામી સત્રમાં પરત લેવાશે કૃષિ બીલ

પાલિતાણાની પરિક્રમા કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો- મળતી માહિતી પ્રમાણે આ ખંભાતનો પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો હતો અને પરિક્રમા કરીને પરત ફરતા સમયે તેમની કારનો ધોળકાની વટામણ ચોકડી પાસે ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતને પગલે પાંચ લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ભૂલી જાઓ ભૂલવાનું! આવી ગયું છે યાદશક્તિ વધારતું હેલ્મેટ

વધુ સમાચાર માટે…

NEWS18 ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version