Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો; જગદીશ ત્રિવેદીના જીવન પર આધારિત બે પુસ્તકોનું ભવ્ય વિમોચન

Vandu A Jagdishne – સુરેન્દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો; જગદીશ ત્રિવેદીના જીવન પર આધારિત બે પુસ્તકોનું ભવ્ય વિમોચન

સુરેન્દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો; જગદીશ ત્રિવેદીના જીવન પર આધારિત બે પુસ્તકોનું ભવ્ય વિમોચન

Google News Follow Us Link

મંગળવારે સવારે સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલમાં ગુજરાતી ભાષાનાં સ્વનામધન્ય કલાકારો, લેખકો, કવિઓ, શિક્ષણવિદોનો મેળો ભરાયો હતો. જગદીશ ત્રિવેદીના 12/10/2022ના રોજ પંચાવન વર્ષ પૂરા થયા એની ખુશાલીમાં એમના જીવન ઉપર લખાયેલું પુસ્તક “વંદુ એ જગદીશને” તથા “સેવાનું સરવૈયું” એમ કુલ બે પુસ્તકોના વિમોચનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતી ભાષાના દોઢસોથી વધુ કલાકારો, લેખકો-કવિઓ અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.

દોઢસોથી વધુ કલાકારો, લેખકો-કવિઓ અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ પી.કે. લહેરી, અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, જાણીતા કવિ તુષાર શુક્લ, હાસ્યકલાકાર સાંઇરામ દવે, લોકસાહિત્યકાર માયાભાઇ આહીર, મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ, ઉપરાંત પદ્શ્રી શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ જાણીતા કવિઓ વિનોદ જોશી, મનોહર ત્રિવેદી, માધવ રામાનુજ, જાણીતા લેખકો રજનીકુમાર પંડ્યા, શૈલેશ સગપરીયા, મહેશ યાજ્ઞિક, ડૉ. બળવંત જાની ઉપરાંત ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર, જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય સહિત અનેક કલાકારો, લેખકો, કવિઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આશરે એક હજાર માણસોથી ખીચોખીચ ભરેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલમાં સૌએ જગદીશ ત્રિવેદીની સેવાને બિરદાવી હતી. એમણે પોતાની નિવૃતિના પ્રથમ પાંચ વર્ષમાં આશરે ચાર કરોડ છત્રીસ લાખ જેટલી રકમનું શિક્ષણ અને આરોગ્યમાં દાન કર્યુ એ માટે અભિનંદન અને એમનો અગિયાર કરોડના દાનનો સંકલ્પ જલ્દી પૂરો થાય એ માટે શુભકામના પાઠવી હતી. આમ ઝાલાવાડના ઇતિહાસનો એક ગૌરવપૂર્ણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરજે આકાશે કર્યુ હતું.

સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version