કોમિડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન, છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા.

Photo of author

By rohitbhai parmar

કોમિડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન, છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા.

કોમિડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન, છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા.

Google News Follow Us Link

કોમિડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન, છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા.

  • કોમિડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવનું નિધન
  • AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
લોકપ્રિય હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે અવસાન થયું છે. હાસ્ય કલાકારે નવી દિલ્લીની ઓલ ઇન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાજુને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ ઓલ ઇન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા.
હાર્ટ એટેક આવ્યો હતો
સ્ટેન્ડ-અપ કોમિડિયનને કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. રાજુ શ્રીવાસ્તવના પિતરાઇ ભાઈએ અગાઉ પીટીઆઇને જણાવ્યુ હતું કે, “તે તેની નિયમિત કસરત કરી રહ્યો હતો અને જ્યારે તે ટ્રેડમિલ પર હતો ત્યારે તે અચાનક નીચે પડી ગયો. તેને હાર્ટ એટેક આવ્યો અને તેને તાત્કાલિક એઇમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.”
કોમેડીની દુનિયામાં તેમના
રાજુ શ્રીવાસ્તવે સ્ટેન્ડ-અપ કોમેડીની દુનિયામાં તેમના સમયસર જોક્સ અને કોમિક દ્વારા જીવનની કેટલીક ખૂબ જ સુસંગત પરિસ્થિતિઓમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. વર્ષ 2005માં તેની પ્રથમ સિઝનના પ્રીમિયર સાથે, તે તેના પ્રકારના પ્રથમ સ્ટેન્ડ-અપ કોમેડી ટેલેન્ટ હન્ટ શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ’ સાથે પ્રખ્યાત થયા હતા.
તેમનો જન્મ કયા થયો હતો
સ્ટેન્ડ-અપ કોમિડિયન બનેલા રાજકારણી અને અભિનેતા તેમના સ્ટેજ પાત્ર ગજોધર ભૈયા માટે ખૂબ જ લોકપ્રિય છે. રાજુને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. તેનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુર જીલ્લામાં 25 ડિસેમ્બર, 1963ના રોજ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેઓ તેમના આતુર અવલોકન અને જીવનના વિવિધ ભારતીય પાસાઓના હાસ્ય સમય માટે જાણીતા છે.
તેમનો પરિવાર
રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963ના રોજ કાનપુરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રમેશચંદ્ર શ્રીવાસ્તવ હતું, તેઓ પોતે કવિ હતા અને બલાઈ કાકા તરીકે જાણીતા હતા.
રાજુ, જે એક ઉત્તમ મિમિક્રિ કરતો હતો. તે હંમેશા કોમિડિયન બનવા માંગતા હતા. તેમના લગ્ન 1 જુલાઇ, 1993ના રોજ લખનઉની શિખા સાથે થયા હતા. બંને દંપતીને બે બાળકો અંતરા શ્રીવાસ્તવ અને આયુષ્માન શ્રીવાસ્તવ છે.
નાના-મોટા રોલ પ્લે કર્યા હતા
રાજુએ 1988માં ફિલ્મ ‘તેઝાબ’માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ ‘મૈંને પ્યાર કિયા’, ‘બાઝીગર’, ‘બોમ્બે ટુ ગોવા’
(રિમેક) અને ‘આમદાની અઠની ખર્ચા રૂપૈયા’ જેવી હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
તે ‘બિગ બોસ’ સિઝન ત્રણના સ્પર્ધકોમાના એક હતા. તેઓ ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ હતા.
આ ઉપરાંત તે, ધ ગ્રેટ ઇન્ડિયન લાફટર ચેલેન્જ, ‘કોમેડી સર્કસ’, ધ કપિલ શર્મા શો’, ‘શક્તિમાન’ અને અન્ય ઘણા
કોમેડી શોના ભાગ રહ્યાં છે.