- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારસુરેન્દ્રનગર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

- Advertisement -

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

જિલ્લાના ૬૮ ગામોમાં નળ કનેકશનની સુવિધા માટે રૂપિયા ૧૨૩૬.૨૦ લાખના કામોની મંજૂરી અપાઈ

  • સુરેન્દ્રનગર જીલ્લા ખાતે “જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)” દ્વારા તા. ૧૨-૩-૨૦૨૧ના રોજ સમિતિની બેઠક યોજાઈ હતી.
  • અંદાજે ૧૧,૪૬૬ ઘરોને નળ કનેકશનની સુવિધા મળશે.
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

“જલ જીવન મિશન” અંતર્ગત ‘નલ સે જલ’ કાર્યક્રમ દ્વારા ગ્રામ્ય સ્તરે દરેક ઘરોને પીવાનું પાણી નળ કનેક્શનથી મળતું થાય તેવો સરકારશ્રીએ લક્ષ્યાંક નક્કી કરેલ છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જીલ્લા ખાતે “જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો)” દ્વારા તા. ૧૨-૩-૨૦૨૧ના રોજ સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં 68 ગામોની આંતરિક વિતરણ વ્યવસ્થા માટેની રૂપિયા ૧૨૩૬.૨૦ લાખની નવી યોજનાઓ મંજૂર કરવામાં આવી છે, જેનાથી અંદાજે ૧૧,૪૬૬ ઘરોને નળ કનેકશનની સુવિધા મળશે. આ ૬૮ ગામો પૈકી ચોટીલાના ૧૮, સાયલાના ૧૬, લીંબડીના ૧૧, મુળીના ૭, લખતરના ૬, થાનના ૫, ચુડાના ૪ અને ધ્રાંગધ્રાના ૧ ગામનો સમાવેશ થાય છે.

આમ, કુલ ૬૮ ગામોમાં ૧૦૦% કુટુંબો નળથી પાણી મેળવતા થાય તે માટે રૂપિયા ૧૨.૩૬ કરોડની વહીવટી મંજૂરી જિલ્લા કલેકટર અને અધ્યક્ષશ્રી કે. રાજેશ દ્વારા આપવામાં આવી છે. આ માટે વાસ્મોના યુનિટ મેનેજરશ્રી જે. એ. રંગવાલા અને કો-ઓર્ડીનેટર તક્ષેશ મંડલી તથા સ્ટાફ કર્મચારી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...