Home NEWS શું તમે જાણો છો કે પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું? વૈજ્ઞાનિકોએ આ...

શું તમે જાણો છો કે પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું? વૈજ્ઞાનિકોએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો

0
શું તમે જાણો છો કે પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું? વૈજ્ઞાનિકોએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો

શું તમે જાણો છો કે પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું? વૈજ્ઞાનિકોએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો

જળ  (Water) જીવન છે. જે ધરતી પર સૌથી કિંમતી સંસાધન છે. ધરતી પર જીવન ટકાવી રાખવા માટે જળ સૌથી જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે પાણી ક્યાથી આવ્યું, તેનો સ્પષ્ટ જવાબ હજુ સુધી મળી શક્યો નથી. શું તમને આ સવાલનો જવાબ ખબર છે કે ધરતી પર પાણી (Water on Earth) ક્યાંથી આવ્યું?

Google News Follow Us Link

શું તમે જાણો છો કે પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું? વૈજ્ઞાનિકોએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો

  • પૃથ્વી પર જે પાણી જોઈએ છે તે ક્યાંથી આવ્યું?
  • જીવન ટકાવી રાખવા માટે જળ સૌથી જરૂરી છે.

જળ જીવન છે. જે ધરતી પર સૌથી કિંમતી સંસાધન છે. ધરતી પર જીવન ટકાવી રાખવા માટે જળ સૌથી જરૂરી છે. પરંતુ શું તમે જાણો છો કે પાણી ક્યાથી આવ્યું, તેનો સ્પષ્ટ જવાબ હજુ સુધી મળી શક્યો નથી. શું તમને આ સવાલનો જવાબ ખબર છે કે ધરતી પર પાણી ક્યાંથી આવ્યું? જોકે આ મોટા સવાલને લઈને ઘણા રિસર્ચ થઈ ચૂક્યા છે.

નવી થેયરીથી મોટો ખુલાસો:

તેના જવાબમાં ક્યારેક કંઈક જવાબ આપવામાં આવ્યો તો ક્યારેક કંઈક બીજું કહેવામાં આવ્યું. જો કે, હજી સુધી નાસા (Nasa) કે અન્ય કોઈ વિજ્ઞાન જર્નલના વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ જવાબ આપ્યો નથી કે આખરે આપણે પૃથ્વી પર જે પાણી જોઈએ છે તે ક્યાંથી આવ્યું?

આ તમામ વાતો વચ્ચે ફરી વૈજ્ઞાનિકોએ એક નવી થેયરી સામે રાખી છે જે સ્પેસ ડસ્ટ એનાલિસિસ (Solar Dust Analysis) ની સાથે સુરજ અને તે સમયના સોલર વિન્ડ્સ (Solar Winds) તરફ ઈશારા કરી રહી છે. અગાઉ એવું કહેવામાં આવતું હતું કે પૃથ્વી પર પાણી એસ્ટરોઇડ્સ અને ઉલ્કાઓથી આવે છે જે અવકાશમાં છે, અને કેટલીકવાર એવું કહેવામાં આવે છે કે પૃથ્વી પર જ પાણીનું નિર્માણ થયું અને શરૂઆતથી અહીં જ રહ્યું. આમાંના મોટાભાગના સંશોધનો પૃથ્વી પર પડેલી ઉલ્કાઓ અને લઘુગ્રહોના ટુકડાઓ પર કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર અજરામર ટાવર પાસેના વિસ્તારમાં પાણી મુદ્દે મહિલાઓનો પાલિકામાં હલ્લાબોલ

રિસર્ચમાં સામે આવ્યા આ તથ્ય:

યુકે (UK), ઑસ્ટ્રેલિયા અને યુએસના સંશોધકોએ આ અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે જ્યારે સૂર્યમાંથી આવતા સૌર પવન તરીકે ઓળખાતા ચાર્જ્ડ કણોએ અવકાશમાં હાજર ધૂળના કણોની રાસાયણિક રચનામાં ફેરફાર કર્યો ત્યારે ધૂળના કણોમાં પાણીની રચના થઈ હતી, જેના કારણે પાણીના અણુઓ બની હશે.

નવા અભ્યાસમાં જાપાનના 2010ના હાયાબુસા મિશન (Hayabusa Mission)માંથી મેળવેલા પ્રાચીન એસ્ટરોઇડ નમૂનાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ અભ્યાસ દર્શાવે છે કે પૃથ્વી પરનું પાણી અવકાશમાં ધૂળના કણોમાંથી આવ્યું છે જેમાંથી ગ્રહો બન્યા છે.

રોકાણ સામે અઢળક નફો આપનાર IPO માં શેર્સ નથી લાગ્યા ? ચિંતા ન કરશો અનેક તકો છે હજુ કતારમાં

મહાસાગરોમાં આટલું પાણી:

આ પ્રક્રિયાને વૈજ્ઞાનિકો સ્પેસ વેદરિંગ કહે છે. નેચર ઓસ્ટ્રોનોમી જર્નલમાં પ્રકાશિત આ અધ્યનમાં વૈજ્ઞાનકિઓ જણાવ્યું કે પૃથ્વીના મહાસાગરોમાં પાણીનું માળખું બનાવવું એ એસ્ટરોઇડ જેવા સ્ત્રોતોમાંથી સામગ્રીના મિશ્રણમાંથી બનાવવાનું ખૂબ જ પડકારજનક કાર્ય છે. પરંતુ સૌર પવનો આ પ્રશ્નનો જવાબ આપી શકે છે.

અવકાશી ખડકોના નમૂનાઓનો અભ્યાસ:

યુનિવર્સિટી ઓફ ગ્લાસગોની વેબસાઈટ www.gla.ac.uk પર પ્રકાશિત અહેવાલ અનુસાર, વૈજ્ઞાનિકોની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય ટીમે એટમ પ્રોબ ટોમોગ્રાફી દ્વારા વિવિધ પ્રકારના અવકાશી ખડકોના નમૂનાઓનો અભ્યાસ કર્યો હતો. આ ખડકોને S પ્રકારના એસ્ટરોઇડ કહેવામાં આવે છે, જે C પ્રકારના લઘુગ્રહો કરતાં તેમની નજીક રહીને સૂર્યની પરિક્રમા કરે છે.

ઇન્સ્ટાગ્રામ પર વધુ સમય વિતાવનાર લોકો માટે આવી રહ્યુ છે નવું ફિચર, લોકો બોલ્યા આની તો ક્યારની જરૂર હતી

નમૂનાઓમાં પાણીના અણુઓ:

આ નમૂનાઓ ઇટોકાવા એસ્ટરોઇડના હતા અને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું. જ્યારે વૈજ્ઞાનિકોએ એક સમયે એક પરમાણુની પરમાણુ રચનાનો અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેમાં પાણીના અણુઓની હાજરી છે. આ અભ્યાસના મુખ્ય લેખક, ડૉ. લ્યુક ડેલીએ સમજાવ્યું કે પાણીના આ અણુઓ તેમનામાં કેવી રીતે પહોંચ્યા અથવા રચાયા.

સંશોધનમાં સામેલ ડૉ. ડેલીએ કહ્યું કે સૂર્યમાંથી આવતા હાઇડ્રોજન આયન હવા વગરના એસ્ટરોઇડ સાથે અવકાશમાં રહેલી ધૂળ સાથે અથડાઈને તેની અંદર જઈને તેની રાસાયણિક રચનાને અસર કરી. જેના કારણે, હાઇડ્રોજન આયનો ધીમે ધીમે ઓક્સિજનના પરમાણુઓ સાથે પ્રતિક્રિયા કરીને ખડકો અને ધૂળની અંદર પાણીના અણુઓ બનાવવા લાગ્યા, જે એસ્ટરોઇડના ખનિજોમાં છુપાયેલા હતા. આ ધૂળ સૌર પવનો અને લઘુગ્રહો સાથે પૃથ્વી પર આવી હશે અને પાણી લઈને આવી હશે.

વૈજ્ઞાનિકોને આશા:

સંશોધકો એવું પણ માનતા હતા કે પૃથ્વી પરનું પાણી અન્ય હળવા આઇસોટોપિક સ્ત્રોતમાંથી આવ્યું હશે જે સૂર્યમંડળમાં અન્યત્ર હતું. નવી તપાસમાં પૃથ્વી પર પાણીનું આગમન અને સપાટીની આસપાસના મોટા જથ્થાની આસપાસના ઘણા રહસ્યો પણ બહાર આવશે. હવે વૈજ્ઞાનિકોને પણ આશા છે કે આ અભ્યાસના પરિણામો હવા વગરના ગ્રહો (Air Free Planets) પર પાણી શોધવા માટે ભવિષ્યના અવકાશ મિશનમાં મદદરૂપ થશે.

અમદાવાદ એરપોર્ટ પર મોડી રાતે આવેલી ફ્લાઇટમાં મુસાફર આવ્યો કોરોના પોઝિટીવ, તંત્ર થયું દોડતું

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક 

Google News Follow Us Link

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version