આ ગામમાં દહેજ લેવા કે દેવા પર સમાજમાંથી કરવામાં આવે છે બહાર, નિયમ તોડવા પર નમાજ પઢવા પર પ્રતિબંધ

Photo of author

By SOHAM 24 NEWS

આ ગામમાં દહેજ લેવા કે દેવા પર સમાજમાંથી કરવામાં આવે છે બહાર, નિયમ તોડવા પર નમાજ પઢવા પર પ્રતિબંધ

દેશમાં એક એવું ગામ છે જ્યાં દહેજ લેવા અને આપવા પર પ્રતિબંધ છે. આ ગામમાં છેલ્લા 17 વર્ષથી લગ્ન ખૂબ જ સાદગીથી થઈ રહ્યા છે. આવો જાણીએ આ ગામ વિષે

Google News Follow Us Link

આ ગામમાં દહેજ લેવા કે દેવા પર સમાજમાંથી કરવામાં આવે છે બહાર, નિયમ તોડવા પર નમાજ પઢવા પર પ્રતિબંધ

  • લગ્નમાં અમુક વાર વરપક્ષ દ્વારા દહેજની માંગણી 
  • એક અનોખું ગામ છે જ્યાં દહેજ લેવા અને આપવા પર પ્રતિબંધ
  • નિયમનો ભંગ કરે છે. તો સ્થાનિક મસ્જિદમાં નમાઝ અદા કરવાની મંજૂરી નથી

લગ્નમાં અમુક વાર વરપક્ષ દ્વારા દહેજની માંગણી કરવામાં આવતી હોય છે. દહેજ ના આપવાને કારણે ઘણીવાર ઝઘડા પણ થાય છે. પરંતુ દેશમાં એક અનોખું ગામ છે. કાશ્મીરમાં(Kashmir) એક ગામ એવું પણ છે જ્યાં દહેજ લેવા અને આપવા પર પ્રતિબંધ છે. આ ગામનું નામ બાબા વાઇલ (baba wayil) છે. આ ગામ મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલું છે. શ્રીનગરથી(Sri nagar) 35 કિમી દૂર આવેલા આ ગામમાં છેલ્લા 17 વર્ષથી લગ્ન ખૂબ જ સાદગીથી કરવામાં આવી રહ્યા છે.1000 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં લગભગ 200 ઘર છે.

અહીં રહેતા નઈમ અહેમદ શાહ અને તેના ભાઈના લગભગ 6 મહિના પહેલા લગ્ન થયા હતા. આ લગ્નમાં કુલ 10 હજાર રૂપિયાથી ઓછો ખર્ચ કરવામાં આવ્યો છે. 28 વર્ષીય નઈમ કહે છે કે અમારા ગામમાં દહેજ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. એક દસ્તાવેજ પર સહી કરીને ગામના 100 પરિવારોએ પ્રતિજ્ઞા લીધી કે ન તો દહેજ આપશે અને ન દહેજ લેશે.

પોતાના લગ્ન વિશે જણાવતા નઈમ કહે છે કે, મેં દુલ્હનને 2600 રૂપિયા અને લગ્ન કરનાર ઈમામને 1 હજાર રૂપિયા આપ્યા હતા. ભાઈના લગ્ન પણ આ રીતે કરવામાં આવ્યા હતા. લગ્નમાં કુલ 10 હજાર રૂપિયાથી ઓછો ખર્ચ થયો હતો.

ગુજરાતમાં 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણનો CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ, જાણો કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર

નિયમોના ભંગ બદલ નમાજ પઢવા પર પ્રતિબંધ:-

નઇમ કહે છે કે અમારું ગામ એક પરિવારની જેમ રહે છે. જો કે દહેજ ન લેવાનો અને સાદગીથી લગ્ન કરવાનો રિવાજ જૂનો છે, પરંતુ સત્તાવાર રીતે આ ઠરાવ 2018માં શરૂ થયો હતો. જ્યારે ગામના વડીલોએ ભેગા મળીને એક દસ્તાવેજ પર સહી કરી હતી. દસ્તાવેજ અનુસાર, જો કોઈ પરિવાર આ નિયમનો ભંગ કરે છે. તો તેના પરિવારનો બહિષ્કાર કરી દેવામાં આવશે. તેમને સ્થાનિક મસ્જિદમાં નમાઝ અદા કરવાની મંજૂરી નથી અને માતમમાં પણ ભાગ લેવાની પણ મંજૂરી નથી.

નઈમ કહે છે કે, અહીંના 7થી 8 ટકા લોકોએ ગામની બહાર લગ્ન પણ કર્યા છે, પરંતુ તેમણે પણ દહેજ ન લેવાનો નિયમ તોડ્યો નથી. 2021માં પણ લગભગ 16 લગ્નો અત્યંત સાદગીથી થયા છે. ગ્રામજનોનું કહેવું છે કે અહીં દહેજ ન લેવાની પરંપરા લગભગ 40 વર્ષથી ચાલી આવે છે.

પુષ્પાનો આ સીન તમે નહીં જોયો હોય, જુઓ અલ્લુ અર્જુનનો ડિલીટ કરાયેલો આ અફલાતુન વીડિયો

સોના ઉપર પણ બંને પક્ષથી પ્રતિબંધ છે:- 

ગામમાં નમાઝ શીખવતા 60 વર્ષીય ઇમામ બશીર અહેમદ કહે છે કે અહીં યોજાતા લગ્નોમાં બંને બાજુથી સૂવાની વસ્તુઓ પર પણ પ્રતિબંધ છે. લગ્નમાં માત્ર 4 થી 5 વાનગીઓ જ બનાવવામાં આવે છે. પહેલાના લગ્નોમાં વર પક્ષમાંથી લગભગ 15 થી 20 લોકો જતા હતા. પરંતુ આ સંખ્યા ઘટીને 4 થી 5 થઈ ગઈ છે.

સરકાર સમક્ષ રજૂ કરાયો વરસાદમાં થાંભલામાં લાગતા કરંટને ડિટેક્ટ કરતા ડિવાઈસનો Remote Monitoring Ideas

યુવાનોના કારણે ગામમાં પરિવર્તન આવ્યું:-

બશીર કહે છે કે આ બધું યુવાનોના કારણે જ શક્ય બન્યું છે. અમને તેમના પર ગર્વ છે. છેલ્લા 17 થી 18 વર્ષમાં એક પણ એવો કિસ્સો સામે આવ્યો નથી કે જ્યારે કોઈએ દહેજ ન લેવાનો નિયમ તોડ્યો હોય. ગામમાં સૌ ખુશ છે. તે જ ગામના રહેવાસી 30 વર્ષીય સૈયદ જાવિદ કહે છે, “મારા લગ્ન 2015માં થયા હતા. લગ્નનો તમામ ખર્ચ મેં સાસરિયાં વતી ઉઠાવ્યો હતો. દહેજ વિરુદ્ધ કડકાઈથી અહીં પરિવર્તન આવી રહ્યું છે. હવે લગ્નોમાં પૈસાનો વ્યય થતો નથી. સેંકડો બહેનોના લગ્નમાં દહેજનો કોઈ અવરોધ નથી.

ગુજરાતમાં આગામી તહેવાર પર પ્રતિબંધ! જાહેરનામું અમલી; ચાઇનિઝ દોરી- તુક્કલ વેચનારા ખાસ વાંચી લેજો નહીં તો…

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

Google News Follow Us Link