Site icon સોહમ 24 ન્યુઝ

વેલેન્ટાઈન ડે પર ISRO લોન્ચ કરશે ‘સર્વેલન્સ સેટેલાઇટ’ EOS-4, જાણો શા માટે મહત્વનું છે આ મિશન

વેલેન્ટાઈન ડે પર ISRO લોન્ચ કરશે ‘સર્વેલન્સ સેટેલાઇટ’ EOS-4, જાણો શા માટે મહત્વનું છે આ મિશન

Google News Follow Us Link

ISRO વેલેન્ટાઈન દિવસે પૃથ્વીથી 529 કિમી દૂર ધ્રુવીય ભ્રણ કક્ષામાં સર્વેલન્સ સેટેલાઈટ અંતરીક્ષમાં મોકલશે

EOS-04ને પૃથ્વીની  529 કિમી દૂર ધ્રુવીય ભ્રમણ કક્ષામાં તૈનાત કરવામાં આવશે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અનુસાર, તેનું સૌથી ભરોસાપાત્ર રોકેટ PSLV-C52 14 ફેબ્રુઆરીના રોજ સવારે 5.59 કલાકે આ વર્ષના પ્રથમ પ્રક્ષેપણ માટે તૈયાર છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચપેડ પર રોકેટને એસેમ્બલ કરવામાં આવી રહ્યું છે. અને તેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. લોન્ચ પ્રક્રિયા સવારે 4:29 થી શરૂ થશે. જ્યારે કાઉન્ટડાઉન 25-30 મિનિટ વહેલા શરૂ થશે. આ રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં ભારતના રોકેટ પોર્ટના પ્રથમ લોન્ચ પેડ પરથી લોન્ચ થશે. EOS-04ને 529 કિમીની સૂર્ય-તુલ્યકાલિક ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.

EOS-4/RISAT-1A ઉપગ્રહની સાથે વધુ બે ઉપગ્રહો હશે. 

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ- INSPIREsat-1 અને બીજો ભારત-ભૂતાન સંયુક્ત ઉપગ્રહ INS-2B હશે ISROના જણાવ્યા અનુસાર, અવકાશ એજન્સી પૃથ્વી અવલોકન સેટેલાઇટ EOS-4/RISAT-1A લોંચ કરશે. પૃથ્વીની ભ્રમણ કક્ષા સ્થાપિત કરી શકે છે. હકીકતમાં, ગયા વર્ષે જુલાઈ 2021 માં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા PSLV-C52 રોકેટથી EOS-4 / RISAT-1A ઉપગ્રહ લોન્ચ કરશે, જે એક માઇક્રોવેવ રિમોટ સેટેલાઇટ છે. અગાઉ, INS-2Bનું લોન્ચિંગ માર્ચ 2022 માં નિર્ધારિત હતું, પરંતુ હવે તેને EOS-4 સાથે લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,  ISROએ ગયા વર્ષે જણાવ્યું હતું કે, તેઓ જુલાઈ 2021માં  EOS-4/RISAT-1A સેટેલાઈટને પીએસએલએવી-સી52 રોકેટથી લોન્ચ કરશે. પરંતુ આ લોન્ચ કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેનું લોન્ચિંગ આખરે થઈ રહ્યું છે.

ISRO આ વર્ષના શરૂઆતમાં જ અંદર કેટલાક ઉપગ્રહોની લોન્ચિંગ કરશે 

ઈસરો આ વર્ષના શરૂઆતના ત્રણ મહીનામાં અંદર કેટલાક ઉપગ્રહોની લોન્ચિંગની તૈયારીમાં છે. પહેલા તો EOS-4 લોન્ચ થશે ત્યાર બાદ OCEANSAT-3 માર્ચ મહિનામાં લોન્ચ કરવામાં આવશે. જ્યારે એપ્રિલમાં SSLV-D1 માઈક્રોસેટની લોન્ચિંગ થશે. જો કે, કોઈ પણ લોન્ચિંગ તારીખ છેલ્લી ઘડી સુધી બદલાઈ શકે છે.

રાજકોટના કલાકાર સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરનું સ્મૃતિ મંદિર બનાવશે, આગામી દિવસોમાં મંદિરની રૂપરેખા જાહેર કરશે

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version