Site icon સોહમ 24 ન્યુઝ

જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2022-23માં ધોરણ 6માં પ્રવેશ પ્રક્રિયા શરૂ

Navodaya Vidyalaya – જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ પ્રક્રિયા શરૂ

Google News Follow Us Link

જવાહર નવોદય વિદ્યાલય, ધ્રાંગધ્રાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, વર્ષ 2023-24માં ધોરણ-6માં પ્રવેશ માટેની પસંદગી પરીક્ષા તા.29/04/2023ના રોજ યોજાશે. પ્રવેશ માટેની યોગ્યતા આ મુજબની રહેશે. જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી હોય તે વિદ્યાલયમાં પ્રવેશ ઇચ્છતા ઉમેદવાર વર્ષ 2022-23 દરમિયાન ધોરણ-5 માં સરકારી/સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરતા હોય તથા અભ્યાસ પૂર્ણ કરવાના હોય, સરકારી કે સરકાર માન્ય શાળાના ધોરણ-3 અને 4માં પુરું સત્ર અભ્યાસ કરેલ હોય અને પાસ થયેલા હોવા જોઈએ.

જે જિલ્લાની નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ઇચ્છતા હોય તે જિલ્લાની શાળામાં ધોરણ-5 પૂરું શૈક્ષણિક વર્ષ અભ્યાસ કરેલો હોવો જોઈએ તેમજ ઉમેદવાર તા.01/05/2011 અને 30/04/2013(બંને દિવસો સમાવિષ્ટ છે) વચ્ચે જન્મેલો હોવો જોઈએ. ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછી 75% જગ્યાઓ અનામત, કન્યાઓ માટે 1/3 ટકા અને ઓ.બી.સી./ અનુ.જાતિ/ અનુ.જન.જાતિ અને દિવ્યાંગ ઉમેદવારો માટે ભારત સરકારશ્રીના નિયમાનુસાર જગ્યાઓ અનામત રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31/01/2023 છે. વધુ જાણકારી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in પરથી મેળવી શકાશે એમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

ચોટીલામાં યોગ શિબિર, યોગ પે ચર્ચા, યોગ જાગરણ રેલી સહિત કાર્યક્રમોનું આયોજન

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version