Site icon સોહમ 24 ન્યુઝ

સાપ્તી કેન્દ્ર ધ્રાંગધ્રા દ્વારા શિલ્પકળા ક્ષેત્રે રસ ધરાવતા યુવાનો પાસેથી વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈ

Sapti Kendra – સાપ્તી કેન્દ્ર ધ્રાંગધ્રા દ્વારા શિલ્પકળા ક્ષેત્રે રસ ધરાવતા યુવાનો પાસેથી વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં પ્રવેશ માટે અરજીઓ મંગાવાઈ

Google News Follow Us Link

પ્રોજેક્ટ ઓફિસર-પ્લેસમેન્ટ અને પાર્ટનરશીપ ડેવલપમેન્ટ સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટધ્રાંગધ્રાની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણેઉદ્યોગ અને ખાણ વિભાગગુજરાત સરકાર અંતર્ગત કમિશ્નરશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજની કચેરી-ગાંધીનગર સંચાલિત સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (સાપ્તી)-ધ્રાંગધ્રા દ્વારા પથ્થરકળા/શિલ્પ ઉદ્યોગ ક્ષેત્રે સ્વાવલંબી શિલ્પકળા સર્જક બનવાની ઇચ્છા ધરાવતા યુવાનો પાસેથી વિવિધ ત્રણ નિવાસી તાલીમ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

સ્ટોન ક્રાફટ અને ડીઝાઈનનો 2 વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ

શિલ્પકાર તરીકે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સાપ્તી-ધ્રાંગધ્રા ખાતે સ્ટોન ક્રાફટ અને ડીઝાઈનનો 2 વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ ચલાવવામાં આવે છે. આ ઉપરાંતસ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇનમાં 6 મહિના તથા લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઇનમાં 3 મહિના એમ બે ટૂંકા ગાળાના કોર્ષ પણ સાપ્તી ખાતે શરુ કરવામાં આવેલ છે. 16 થી 28 વર્ષની વય ધરાવતા અને ઓછામાં ઓછું ધોરણ-10 પાસ હોય તેવા કોઈ પણ યુવાનો આ વ્યવસાયિક તાલીમમાં જોડાઈ શકે છે. જો 18 વર્ષ થયેલ હોય તો ધો-8 પાસ ઉમેદવારોને પણ ત્રણ મહિનાનાં કોર્ષમાં પ્રવેશ આપવામાં આવે છે.

પ્રશિક્ષિત ઉમેદવારોને સ્વાવલંબી ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રોત્સાહન

સાપ્તી ધ્રાંગધ્રા ખાતે મુખ્યત્વે સેન્ડસ્ટોનમાર્બલગ્રેનાઈટ ઉપરાંત અન્ય સ્થાનિક પથ્થરોને કંડારવાની કારીગરી અંગે રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે. જેમાં થીયરીડ્રોઈંગડિઝાઈનીંગથી લઈને વિધિવત રીતે પથ્થરકળાની શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે. અહી તાલીમાર્થીઓ પારંપરિક પથ્થર કોતરણીહાથ વડે સંચાલિત પાવર ટુલ્સલેથ ટર્નીંગ વગેરેમાં નિપુણતા પ્રાપ્ત કરે છે.

સ્ટોન ક્રાફ્ટ અને ડીઝાઈનના 2 વર્ષ વાળા કોર્ષમાં CNC કટ મશીનની પણ તાલીમ આપવામાં આવે છે. ઉપરાંતતાલીમાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે જીવન ઉપયોગી કૌશલ્યો-કમ્યુનિકેશન સ્કીલકોમ્પ્યુટરવગેરે પણ શીખવવામાં આવે છે. સાપ્તીના વિદ્યાર્થીઓને સ્ટોન આર્ટિઝનશીપ અને ડિઝાઈનમાં વ્યવસાયિક રીતે પ્રશિક્ષિત કરવામાં આવે છે અને ઇન્ટર્નશિપના માધ્યમથી પથ્થર ઉદ્યોગનો પૂરતો એક્સપોઝર આપવામાં આવે છે. તેમજ પ્રશિક્ષિત ઉમેદવારોને સ્વાવલંબી ઉદ્યોગ સાહસિક બનવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. કોર્સ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને સરકાર માન્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે.

શૈક્ષણિક પ્રવાસો માટે બસની સુવિધા ઉપલબ્ધ

સાપ્તી ખાતે આધુનિક સુવિધાથી સજ્જ વર્ગખંડોવર્કશોપ્સકોતરકામ માટે ખુલ્લી જગ્યાહોસ્ટેલભોજનાલય-આહારગૃહકોન્ફરન્સ રૂમકોમ્પ્યુટર લેબલાયબ્રેરીડિસ્પ્લે ગેલેરીવગેરે માળખાકીય સુવિધાઓ અદ્યતન માપદંડો અનુસાર ઉભી કરવામાં આવી છે.સાપ્તી ખાતે તાલીમમાં જોડાવવા માટેની કોઈપણ નોંધણી ફી નથી. આ સંપૂર્ણ નિઃશુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમ છે. તાલીમાર્થીઓને સાપ્તી કેન્દ્ર ખાતે રહેવા-જમવાની વ્યવસ્થાતાલીમ દરમ્યાન જરૂરી સાધનો/ટૂલ્સસંપૂર્ણ સલામતી કીટસ્ટેશનરી કીટ-શૈક્ષણિક કીટયુનિફોર્મવિવિધ જરૂરી મટીરીયલ પણ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવે છે.

પ્રત્યક્ષ મુલાકાત લઈ પ્રવેશ ફોર્મ મેળવી

સાપ્તીમાં સરળ નોંધણી પ્રક્રિયા દ્વારા પ્રવેશ મેળવી શકાય છે. ઉમેદવારો હળવદ બાયપાસરેલ્વે ક્રોસિંગ નં.50ની બાજુમાં આવેલ સાપ્તી કેન્દ્ર ધ્રાંગધ્રાની પ્રત્યક્ષ મુલાકાત લઈ પ્રવેશ ફોર્મ મેળવીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. વધુ જાણકારી અને નામ નોંધાવવા માટે શ્રી અશરફ નથવાણી મો.8511189199 નો સંપર્ક કરવાનો રહેશે એમ યાદીમાં જણાવ્યું છે.

જવાહર નવોદય વિદ્યાલય – ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો કરાયો

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version