સુરેન્દ્રનગરમાં ફરી લાલ બસ દોડશે, 32 CNG બસ માટે રૂ.20.44 કરોડ મંજૂર

Photo of author

By rohitbhai parmar

Red Bus – સુરેન્દ્રનગરમાં ફરી લાલ બસ દોડશે, 32 CNG બસ માટે રૂ.20.44 કરોડ મંજૂર

સુરેન્દ્રનગર-વઢવાણમાં ટૂંક સમયમાં સિટી બસ દોડતી થશે. સંયુક્ત પાલિકાની દરખાસ્તને રાજય સરકારને મંજૂર કરી છે

અને ગુરુવારે મુખ્યમંત્રીએ 32 મિનિ સીએનજી બસ માટે રૂ.20.44 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે.

સુરેન્દ્રનગરમાં ફરી લાલ બસ દોડશે, 32 CNG બસ માટે રૂ.20.44 કરોડ મંજૂર

Google News Follow Us Link

સુરેન્દ્રનગરમાં ફરી લાલ બસ દોડશે, 32 CNG બસ માટે રૂ.20.44 કરોડ મંજૂર

  • સંયુક્ત પાલિકાએ 8 જુલાઇએ કરેલી બીજીવારની દરખાસ્ત સરકારે મંજૂર કરી, અગાઉ 2018માં કરી હતી

સુરેન્દ્રનગર-વઢવાણમાં ટૂંક સમયમાં સિટી બસ દોડતી થશે. સંયુક્ત પાલિકાની દરખાસ્તને રાજય સરકારને મંજૂર કરી છે અને ગુરુવારે મુખ્યમંત્રીએ 32 મિનિ સીએનજી બસ માટે રૂ.20.44 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. સંયુક્ત પાલિકા સિટી બસનો ખર્ચ ભોગવી શકે તેમ ન હોઈ પીપીપી ધોરણે સિટી બસ ચાલુ કરવા માટે દરખાસ્ત તૈયાર કરી હતી અને 8 જુલાઇએ સરકારને પ્રોજેકટ રિપોર્ટ મોકલ્યો હતો.

જેમાં મેક્સન ફાઉન્ડેશન ટ્રસ્ટે સિટી બસ ચાલુ કરવા માટે તૈયારી બતાવી હતી. જેમાં વિદ્યાર્થીઓ માટે પાસની સગવડતા પણ દર્શાવવામાં આવી હતી. ઉપરાંત સરકાર પાલિકાને 1 કિમીના રૂ.16.50 લેખે 200 કિમી સુધી સરકાર આપશે. તેવી પણ વિગતો સામેલ કરી હતી. આ પહેલાં 24 ઓક્ટોબર, 2018માં સિટી બસ ચાલુ કરવા માટે ઠરાવ કરીને દરખાસ્ત મોકલાઇ હતી.

આ મુખ્ય 8 રૂટ પર બસ દોડશે

ધોળી પોળથી સુરેન્દ્રનગર થઈ રેલવે સ્ટેશન, ધોળી પોળથી દાળમિલરોડ, ધોળી પોળથી દૂધરેજ થઈ પતરવાળી હોટલ, ધોળી પોળથી આરટીઓ થઈ 80 ફૂટ રોડ, રણજીતનગરથી આરટીઓ, રણજીતનગરથી દૂધરેજ, ધોળી પોળથી જોરાવરનગર, ધોળી પોળથી રતનપર બાયપાસ રૂટ નક્કી કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે “કિશોરી કુશળ બનો” થીમ કાર્યક્રમ યોજાયો

સિટી બસ માટે જાણવા જેવી મહત્વની વિગતો

  • શહેરમાં કુલ 8 રૂટ ઉપર 32 બસ દોડશે.
  • મહિને 80 હજાર જેટલો ખર્ચ, 18 કિમીનો રૂટ
  • 76 જગ્યાએ સ્ટોપ, 1.78 કરોડના ખર્ચે સ્ટોપેજ બનશે. અંદાજે 31 32 સિટીની મિનિ CNG બસ રહેશે.
  • બસમાં જીપીઆરએસ સિસ્ટમ લગાવેલી હશે.

રૂ.5 થી લઈને રૂ.12 સુધીનું ભાડું રહેશે સંયુક્ત પાલિકાએ તૈયાર કરેલી દરખાસ્તમાં બસમાં ભાડા માટે 2 કિમી થી માંડીને 14 કિમી સુધીના કુલ 7 સ્ટેપ નક્કી કર્યા હતા. જેમાં મિનિમમ ભાડું રૂ.5 સૌથી વધુ 14 કિમીનું ભાડું રૂ.12 નક્કી કરાયું હતું.

પાલિકા ટેન્ડર મંગાવી બસ સેવા ચાલુ કરવા કાર્યવાહી કરશે

સરકારે સુરેન્દ્રનગર માટે જે બસ માટે રૂપિયાની ફાળવણી કરી છે. તેમાં હવે પાલિકાને પહેલાં દરખાસ્ત મુજબ ટેન્ડર સહિતની કાર્યવાહી કરવી પડશે. ત્યાર બાદ જે ભાવ તેમાં 50 ટકા સરકાર આપશે અને પાલિકાએ સ્વભંડોળમાંથી 50 ટકા ખર્ચ કરવાનો રહેશે. – બી.સી.પટેલ, ચીફ એન્જિનિયર એન્ડ જનરલ મેનેજર

સુરેન્દ્રનગર-વઢવાણના મુખ્ય રસ્તા બાજુનું નાળું 8 વર્ષથી સરંક્ષણ દીવાલ વગરનું

લાલ બસ તરીકે ઓળખાતી સિટી બસમાં વર્ષે 30 લાખની ખોટ જતાં STએ બંધ કરી હતી

સુરેન્દ્રનગર, વઢવાણ શહેરની સાથે જોરાવરનગર, રતનપર, દૂધરેજમાં અંદાજે 22 વર્ષ પહેલાં એસટી તરફથી સિટી બસ દોડાવાતી હતી. પરંતુ વર્ષે અંદાજે રૂ.30 લાખની ખોટ જતાં સેવા બંધ કરી હતી. ત્યાર બાદ અર્કાન નામની કંપનીએ બસ ચાલુ કરી, જે દોઢ વર્ષમાં બંધ કરી દેવાઈ.

મુસાફરો ખાનગી વાહનોના ભરોસે: જિલ્લામાં આજથી દોઢ દિવસ એસટીની 625 ટ્રીપ બંધ

સિટી બસ કાયમ ચાલુ રાખવા માટે પાલિકા સામે પૂરતા મુસાફરનો મોટો પડકાર

સુરેન્દ્રનગરમાં એસટી તરફથી સિટી બસ દોડાવવામાં આવતી હતી ત્યારે લોકો પાસે વાહનો ખૂબ ઓછાં હતાં. ખાનગી વાહનોની સંખ્યા પણ ખૂબ ઓછી હતી. તેમ છતાં એસટીએ ખોટ જવાને કારણે સિટી બસ બંધ કરી દીધી હતી. આમ હવે જયારે શહેરમાં સિટી બસ ચાલુ થવા જઇ રહી છે. ત્યારે અત્યારના સમયમાં લોકો પાસે વાહનો ખૂબ વધી ગયાં છે.

વઢવાણથી સુરેન્દ્રનગર આવવા માટે અનેક ખાનગી વાહનોની લાઈનો લાગે છે ત્યારે સિટી બસ તેના સમયે ઉપાડી જ લેવી પડે જેમાં પૂરતા મુસાફરો ન મળે તો ખોટ જાય, ત સ્વાભાવિક છે. અગાઉ પણ આ કારણે જ સિટી બસો બંધ થઈ હતી ત્યારે પાલિકા સામે સિટી બસ ચાલુ રાખવામાં મુસાફરોની પૂરતી સંખ્યા અને આવકનો મોટો પડકારી બની રહેશે.

સાયલા બસ સ્ટેન્ડમાં બસ આવતી નથી, સરપંચ અને ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Leave a Comment