સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા મંદિર ધામ ખાતે વિશિષ્ટ યજ્ઞનું આયોજન સંપન્ન કરાયું
- દુધરેજ વડવાળા મંદિર ધામ ખાતે વિશિષ્ટ યજ્ઞનું આયોજન સંપન્ન કરવામાં આવ્યું.
- સાદગીપૂર્ણ રીતે મંદિર પરિસર ખાતે વડ પાસે યજ્ઞનું આયોજન
દુધરેજ વડવાળા મંદિર ધામ ખાતે વિશિષ્ટ યજ્ઞનું આયોજન સંપન્ન કરવામાં આવ્યું. દુધરેજ વડવાળા મંદિર ધામ ખાતે વડ સાવિત્રીની પુજા નિમિત્તે મંદિર પરિસર ખાતે વિશિષ્ટ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મંદિરના પીઠાધિસ્વર મહંત કનીરામદાસજી બાપુ અને કોઠારી મહંત મુકુંદરામદાસ બાપુની આજ્ઞા અનુસાર કોવિડની ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરવા સાથે સાદગીપૂર્ણ રીતે મંદિર પરિસર ખાતે વડ પાસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર ડેપોમાંથી સરા સહિતના ગામોમાં દોડતી એસ.ટી.બસો પુનઃ શરૂ કરવાનો લોકમાંગ ઉઠી
આ યજ્ઞની પુર્ણાહુતી સાંજે થયા બાદ યજ્ઞમાં આહુતિ હોમીને વડવાળા દેવને પ્રાર્થના કરી સૌ લોકોના સારા સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી.