- Advertisement -
HomeNEWSએક્ટ્રેસ કૃષ્ણ ભક્તિમાં લીન: 'અનુપમા'ની 'નંદિની' એક્ટિંગ કરિયર છોડીને આશ્રમમાં રહેવા લાગી,...

એક્ટ્રેસ કૃષ્ણ ભક્તિમાં લીન: ‘અનુપમા’ની ‘નંદિની’ એક્ટિંગ કરિયર છોડીને આશ્રમમાં રહેવા લાગી, સવાર-સાંજ પૂજા પાઠ ને ભજન કરે છે

- Advertisement -

એક્ટ્રેસ કૃષ્ણ ભક્તિમાં લીન: ‘અનુપમા’ની ‘નંદિની’ એક્ટિંગ કરિયર છોડીને આશ્રમમાં રહેવા લાગી, સવાર-સાંજ પૂજા પાઠ ને ભજન કરે છે

Google News Follow Us Link

Actress immersed in Krishna devotion: Anupama's 'Nandini' quit her acting career and started living in an ashram, chanting morning and evening worship lessons

ટીવી સિરિયલ ‘અનુપમા’માં નંદિનીનો રોલ પ્લે કરીને જાણીતી બનેલી એક્ટ્રેસ અનઘા ભોસલેએ આ વર્ષે માર્ચમાં જાહેરાત કરી હતી કે તે એક્ટિંગમાંથી બ્રેક લેશે. અનઘાએ આધ્યાત્મિક કારણોસર ટીવીમાંથી બ્રેક લીધો છે. હવે અનઘા પૂરી રીતે કૃષ્ણ ભક્તિમાં લીન છે.

Actress immersed in Krishna devotion: Anupama's 'Nandini' quit her acting career and started living in an ashram, chanting morning and evening worship lessons

આશ્રમમાં ગૌસેવા કરે છે

અનઘાએ સો.મીડિયામાં કૃષ્ણ ભક્તિમાં લીન હોય તેવી ઘણી તસવીરો શૅર કરી છે. અનઘા હવે આશ્રમમાં રહે છે. અહીંયા તે ગૌસેવા કરે છે. તેણે ગૌસેવા કરતી તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ગૌમાતામાં બ્રહ્મા રહે છે, ગળામાં ભગવાન વિષ્ણુ રહે છે, ભગવાન શિવ મોંમાં અને પેટમાં તમામ ભગવાનોનો વાસ છે.’

Actress immersed in Krishna devotion: Anupama's 'Nandini' quit her acting career and started living in an ashram, chanting morning and evening worship lessons

મંત્રજાપ કરે છે

અનઘા રાધાનાથ સ્વામીની શિષ્યા બની ગઈ છે. અનઘા નિયત રીતે મંત્રજાપ કરે છે. અનઘાએ કહ્યું હતું, ‘હવા, દિવ્યતાથી એટલી એટલી ગાઢ છે કે તમે તેમાં તરી શકો છો. બસ મંત્રજાપ કરો અને તે પ્રગટ થઈ જાય છે. આ સત્ય છે.’

ભજન કિર્તન કરે છે

અનઘા આશ્રમમાં રહીને સવાર-સાંજ કૃષ્ણના ભજનો ગાતી જોવા મળે છે. આ ઉપરાંત અનઘા કુપોષિત બાળકો માટે પણ કામ કરે છે.

Actress immersed in Krishna devotion: Anupama's 'Nandini' quit her acting career and started living in an ashram, chanting morning and evening worship lessons

ટીવીના ગંદા રાજકારણને કારણે એક્ટિંગ કરિયર છોડી

અનઘાએ કહ્યું હતું કે તેણે શો છોડવાની સાથે સાથે એક્ટિંગ કરિયરને પણ અલવિદા કહ્યું છે. રાજકારણ, ગંદી સ્પર્ધા, સતત સારા દેખાવવાનું તથા હંમેશાં પાતળા જ રહેવાનું અને સો.મીડિયામાં નિયમિત રીતે પોસ્ટ કરવાનું દબાણ રહેતું હતું. જો તમે આવું ના કરો તો તમે પાછળ મૂકાઈ જાવ. આ બધી બાબતો તેને પસંદ નહોતી.

2020માં એક્ટિંગ ડેબ્યૂ કર્યું

અનઘાએ મોડલિંગ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેણે અનેક પ્રિન્ટ જાહેરાતોમાં કામ કર્યું છે. અનઘાનો જન્મ પુણેના મધ્યમ વર્ગીય પરિવારમાં થયો છે. અનઘા માતા-પિતાની એકની એક દીકરી છે. અનઘાએ 2020માં ટીવી સિરિયલ ‘દાદી અમ્મા દાદી અમ્મા માન જાઓ’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. તે જ વર્ષે તે ‘અનુપમા’ સિરિયલમાં જોવા મળી હતી.

Actress immersed in Krishna devotion: Anupama's 'Nandini' quit her acting career and started living in an ashram, chanting morning and evening worship lessons

અનુપમા‘ 2020માં શરૂ થયો

ઉલ્લેખનીય છે કે ‘અનુપમા’ શો વર્ષ 2020માં શરૂ થયો હતો. આ સિરિયલમાં રૂપાલી ગાંગુલીએ લીડ રોલ પ્લે કર્યો છે. સિરિયલમાં સુધાંશુ પાંડે, ગૌરવ ખન્ના, અરવિંદ વૈદ્ય, અલ્પા બુચ સહિતના કલાકારો છે.

ફેમિના મિસ ઈન્ડિયા 2022 બની કર્ણાટકની સિની શેટ્ટી

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...