સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

Photo of author

By rohitbhai parmar

Ayushman Card – સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

Google News Follow Us Link

સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

  • કેન્દ્રીય આયુષમંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો
  • પી.એમ.જે.એ.વાય-મા કાર્ડ હેઠળ રાજ્યની 2739 હોસ્પિટલોમાં 2711 પ્રકારની સર્જરીતપાસ અને પ્રોસિજરનો લાભ મળે છે -ડો.મહેન્દ્રભાઈ મુંજપરા
  • 1 લાખથી વધુ પી.એમ.જે.એ.વાય-મા કાર્ડનું વિતરણ કરવામાં આવશે

પ્રધાનમંત્રીશ્રી દ્વારા “દરેક ગુજરાતી થશે આયુષ્યમાન, સૌને મળશે પી.એમ.જે.એ.વાય-મા યોજના હેઠળ આયુષ્યમાનનું વરદાન” અંતર્ગત આજે ગુજરાત રાજ્યનાં તમામ તાલુકા મથકે, નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓમાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્ડ વિતરણનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્રીય આયુષમંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને મંગલભુવન, વઢવાણ ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તે જ શ્રેણીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ કાર્યક્રમ યોજાયો હતો.

મુળીના ગઢડાની ગૌચર જમીનમાંથી રોજ 10 હજાર ટન ખનીજ ચોરી મોરબી મોકલાતું હોવાનો આક્ષેપ

50 લાખથી વધુ પી.એમ.જે.એ.વાય-મા કાર્ડનું વિતરણ

આ કાર્યક્રમને સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને રૂ.5 લાખ સુધીની સારવારનો લાભ ઉપલબ્ધ કરાવતી અને વિશ્વની સૌથી મોટી આરોગ્ય કવચ યોજના કહી શકાય તેવી પી.એમ.જે.એ.વાય-મા કાર્ડ યોજના અમલમાં મૂકી લોકોને આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે.

આ કાર્ડ હેઠળ રાજ્યની 2739 હોસ્પિટલોમાં 2711 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસિજરનો લાભ મળે છે. આજે રાજ્યમાં 50 લાખથી વધુ પી.એમ.જે.એ.વાય-મા કાર્ડનું વિતરણ કરવામાં આવશે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે 1 લાખથી વધુ કાર્ડનું વિતરણ કરવામાં આવશે.

સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

કોરોના સમય દરમિયાન સરકારે લીધેલા પગલાઓની વાત કરતાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન જે બાળકે માતા તથા પિતા બંને ગુમાવેલ છે તેવા પરીવારના બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા “પી. એમ. કેર ફોર ચિલ્ડ્રન યોજના “અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના અંતર્ગત આખા દેશમાંથી 4643 બાળકોને આયુષ્માન ભારત યોજના અન્વયે આરોગ્ય વીમાની સુવિધા  પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી જિલ્લાને નવી આર્યુવેદ કોલેજની ભેટ મળી છે. જેના થકી જિલ્લામાં નવી રોજગારીનું સર્જન થશે અને આસપાસના જિલ્લાને પણ તેનો લાભ મળશે. આ કોલેજમાં બાળકો નજીવી ફીમાં અભ્યાસ કરી ડોક્ટર બનશે. મંત્રીશ્રીએ લોકોને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા અને જરૂરતમંદ લોકોને લાભ અપાવવા અનુરોધ કર્યો હતો.

કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વઢવાણ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

પી.એમ.જે.એ.વાય-મા કાર્ડનું વિતરણ

રૂ.136 કરોડના ખર્ચે તૈયાર થનાર આયુર્વેદ હોસ્પિટલ સંલગ્ન કોલેજની ભેટ બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોને આરોગ્યની ચિંતામાંથી મુક્ત કરવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પી.એમ.જે.એ.વાય-મા કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.

જેમાં દરેક પરિવારને રૂ.5 લાખની સારવારનું કવચ અને કુટુંબના દરેક સભ્યને વ્યક્તિગત કાર્ડ આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા ટૂંક સમયમાં જિલ્લામાં નવી કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવામાં આવશે, જેથી જિલ્લામાં શિક્ષણની સુવિધા બહેતર બનશે.

ખૂબ જ ટૂંકા સમયગાળામાં સુરેન્દ્રનગર શહેરમાં સીટી બસની સુવિધા ચાલુ થશે જેથી શહેરમાં પરિવહનની સુવિધા અને લોકોની સુખાકારીમાં વધારો થશે.

સુરેન્દ્રનગર ખાતે આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

પી.એમ.જે.એ.વાય-મા કાર્ડનું વિતરણ

કાર્યક્રમની શરૂઆતમાં સરકારની સિદ્ધિઓ વર્ણવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ દ્વારા સ્વાગત પ્રવચન અને આરસીએચઓ ડો. પી.કે. શ્રીવાસ્તવ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય-મા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી બબુબેન પાંચાણી, નગરપાલિકા પ્રમુખશ્રી વીરેન્દ્રભાઈ આચાર્ય, જિલ્લા પંચાયત સદસ્યસુશ્રી મંગુબેન ડાભી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, વઢવાણ પ્રાંત અધિકારીશ્રી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેકટરશ્રી ડી.આઇ. ભાગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર.એમ.રાયજાદા સહિત મોટી સંખ્યામાં  લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link