સીએમ અરવિંદ કેજરીવાલ આજે સાંજે દેશભરના કાર્યકરોને સંબોધન કરશે, વર્ચ્યુઅલ રીતે કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત

Photo of author

By SOHAM 24 NEWS

સીએમ અરવિંદ કેજરીવાલ આજે સાંજે દેશભરના કાર્યકરોને સંબોધન કરશે, વર્ચ્યુઅલ રીતે કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત

Google News Follow Us Link

સીએમ અરવિંદ કેજરીવાલ આજે સાંજે દેશભરના કાર્યકરોને સંબોધન કરશે, વર્ચ્યુઅલ રીતે કરશે ચૂંટણી પ્રચારની શરૂઆત

સીએમ કેજરીવાલે કહ્યું કે તેમને 2 દિવસથી તાવ હતો, ત્યારબાદ તેઓ કોવિડ પ્રોટોકોલને પગલે 7/8 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા હતા. હવે ફરીથી હું લોકોની સેવામાં પાછો આવ્યો છું.

  • કોવિડ પ્રોટોકોલને પગલે 7/8 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા
  • સ્વસ્થ થયા પછી પ્રથમ પ્રેસ કોન્ફરન્સ

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) હવે કોરોનામાંથી સ્વસ્થ થઈ ગયા છે. સ્વસ્થ થયા પછી પ્રથમ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું કે મને પણ કોરોના (Corona) થયો હતો, જ્યાં હું હોમ આઇસોલેશનમાં રહ્યો હતો. સીએમ કેજરીવાલે કહ્યું કે તેમને 2 દિવસથી તાવ હતો, ત્યારબાદ તેઓ કોવિડ પ્રોટોકોલને પગલે 7/8 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા હતા. હવે ફરીથી હું લોકોની સેવામાં પાછો આવ્યો છું. આ સાથે સીએમ કેજરીવાલ આજે સાંજે 4 વાગ્યે દેશભરના કાર્યકરોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કોરોનાના કેસ (Corona Cases) ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, હું હંમેશા તેના વિશે ચિંતિત હતો, જો કે હું હોમ આઇસોલેશનમાં હતો, પરંતુ હું મારા તમામ અધિકારીઓ સાથે સતત ફોન પર હતો, મુખ્ય સચિવ, આરોગ્ય મંત્રી બધાના સંપર્કમાં હતો.

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના: બોટમાં સવાર સહેલાણીઓ પર એકાએક પર્વતનો મોટો ભાગ પડતા 7ના મોત, 32 ઘાયલ; 20 લોકો ગુમ

અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ કોરોનાના વધતા જતા કેસ અને કરવામાં આવી રહેલી વ્યવસ્થાઓ પર નજર રાખી રહ્યા છે. જો કે, સમગ્ર દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિમાં દિલ્હીમાં પણ કોરોનાની ઝડપ વધી રહી છે. તેમણે કહ્યું કે ગઈકાલે દિલ્હીમાં લગભગ 20 હજાર કેસ હતા, આજે સાંજે આવનારા હેલ્થ બુલેટિનમાં લગભગ 22 હજાર કેસ આવશે.

કોરોના વિસ્ફોટને પગલે અમદાવાદમાં ફ્લાવર શો અને પતંગોત્સવ રદ

કોરોનાનો આ પ્રકાર પહેલા કરતા ઓછો ખતરનાક: કેજરીવાલ

તમને જણાવી દઈએ કે કોરોનાની પ્રથમ લહેરની સરખામણી કરતા સીએમ કેજરીવાલે કહ્યું કે, કેસ દરરોજ ઝડપથી વધી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે, પરંતુ જેમ મેં પહેલા પણ કહ્યું હતું કે તમારે ગભરાવાની જરૂર નથી. હું આ તમામ ડેટાનું વિશ્લેષણ કર્યા પછી કહી રહ્યો છું, એપ્રિલ-મેમાં આવેલા છેલ્લા વેવમાં 7 મેના રોજ પણ લગભગ 20 હજાર કેસ નોંધાયા હતા. પરંતુ તે દિવસે 341 મૃત્યુ થયા હતા, પરંતુ ગઈકાલે જ્યારે 20 હજાર કેસ આવ્યા ત્યારે 7 મૃત્યુ થયા હતા, જોકે મૃત્યુ 1 પણ ન હોવા જોઈએ.

દિલ્હી બાદ કર્ણાટકમાં પણ નાઇટ કર્ફ્યુ… જાણો કયા રાજ્યમાં કેટલો પ્રતિબંધ

તેમણે વધુમાં કહ્યું કે 7 મેના રોજ જ્યારે 20 હજાર કેસ આવ્યા હતા. ત્યારબાદ લગભગ 20 હજાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ગઈકાલે જ્યારે 20 હજાર નવા કેસ આવ્યા ત્યારે દિલ્હીમાં માત્ર દોઢ હજાર બેડ ભરાયા હતા. તે પ્રથમ લહેરની તુલનામાં, મૃત્યુ પણ ઘટી રહ્યા છે અને લોકોને હોસ્પિટલમાં જવાની જરૂર પણ ઓછી છે.

સીએમએ કહ્યું કે હું તમને આ આંકડો એટલા માટે નથી કહી રહ્યો કે તમે લોકો માસ્ક પહેરવાનું બંધ કરી દો અથવા બેજવાબદાર બનો. મેં તમને આ ડેટા એટલા માટે કહ્યો છે કે તમે લોકો ગભરાશો નહીં, તે એટલું ખતરનાક નથી, તમારે લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ જવાબદારીપૂર્વક કામ કરવાની જરૂર છે. માસ્ક પહેરવું સૌથી મહત્વપૂર્ણ છે.

તુર્કમેનિસ્તાન સરકારના આદેશથી આગથી ધગધગતા નરકનાં દ્વાર બંધ કરાશે

વધુ સમાચાર માટે…

TV9 ગુજરાતી

Google News Follow Us Link