Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્‍દ્રનગર જિલ્લામાં તા.21મી ડિસેમ્બરના રોજ તાલુકા કક્ષાનો અને તા.22મી ડિસેમ્બરના રોજ જિલ્‍લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Complaint Redressal – સુરેન્‍દ્રનગર જિલ્લામાં તા.21મી ડિસેમ્બરના રોજ તાલુકા કક્ષાનો અને તા.22મી ડિસેમ્બરના રોજ જિલ્‍લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

સુરેન્‍દ્રનગર જિલ્લામાં તા.21મી ડિસેમ્બરના રોજ તાલુકા કક્ષાનો અને તા.22મી ડિસેમ્બરના રોજ જિલ્‍લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

Google News Follow Us Link

સુરેન્‍દ્રનગર જિલ્લાના પ્રજાજનોનો તેમના પ્રશ્નો તથા ફરિયાદ સ્‍થાનિક કક્ષાએ હલ થાય તે માટે મુખ્‍યમંત્રીશ્રી તરફથી

તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવાનું નક્કી કરેલ છે.

જે અંતર્ગત ચાલુ માસમાં તા.21-12-2022ના રોજ દરેક તાલુકા કક્ષાનો અને તા.22-12-2022ના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદનિવારણ કાર્યક્રમ યોજાનાર છે.

ફરિયાદ નિવારણ કાર્યક્રમ

આ ફરિયાદ-નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.16-12-2022ના રોજ સાંજના 6:00 કલાક સુધીમાં તાલુકા કક્ષાના ફરિયાદનિવારણ કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો, જે તે તાલુકાના મામલતદારશ્રીને પહોંચતા કરવા તથા

જિલ્‍લા કક્ષાના પ્રશ્નો, ફરિયાદો સંબંધિત ખાતા વિભાગોની સંબંધકર્તા જિલ્લાકક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને જણાવવામાં આવે છે.

અરજીમાં મથાળે માન.મુખ્‍યમંત્રીશ્રીનો ફરિયાદનિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.

અરજદારે તેઓની અરજી/પ્રશ્નો બે નકલમાં મોકલવાના રહેશે. તારીખ વિત્યા પછીની કે અસંદિગ્‍ધ અને અસ્‍પષ્‍ટ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્‍ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્‍યક્તિગત

આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં.

સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં.

જેની અરજદારોને નોંધ લેવા નિવાસી અધિક કલેકટરશ્રીની એક યાદીમાં જણાવાયું છે.

ધ્રાંગધ્રામાં ચોરી કરેલા 1400 કિલો લોખંડના સળિયા ભરેલું વાહન ઝડપાયું, રૂ.3.91 લાખનો મુદ્દામાલ કબજે

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version