Site icon સોહમ 24 ન્યુઝ

મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે

Paid Leave – મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે

મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે.

Google News Follow Us Link

નોડલ ઓફિસર ફોર માઇગ્રેટરી ઇલેકટર્સ અને મદદનીશ શ્રમ આયુક્ત સુરેન્દ્રનગરની એક અબબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી તા.01/12/2022ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-2022 માટે મતદાન યોજાનાર છે.

જે સંદર્ભે વિવિધ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગી/કર્મચારીઓ મતદાનના દિવસે પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કારખાનેદાર/માલિક કે નોકરી દાતા દ્વારા તેમને સવેતન રજા આપવાની રહેશે. મતદાનના દિવસને જાહેર રજા કરવાના કારણે સંબંધિત શ્રમયોગી/કર્મચારીઓના પગારમાંથી કોઈ પણ કપાત કરવાની રહેશે નહીં.

સુરેન્દ્રનગર: ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી

વિશેષમાં જે શ્રમયોગીઓની તેમના ફરજના સમયમાં ગેરહાજરીથી જોખમ ઊભું થવાના સંજોગો/શક્યતા હોય, રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય કે સતત પ્રક્રિયા વાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગી/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમિયાન 3 થી 4 કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

સુરેન્દ્રનગર: ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ખર્ચ નિરીક્ષકોની સમીક્ષા બેઠક યોજાઈ

ઉપરાંત જો કોઈ કારખાનેદાર/માલિક કે નોકરી દાતા દ્વારા મતદાનના દિવસે શ્રમયોગી/કર્મચારીઓને મતદાન માટે સવેતન રજા આપવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સવેતન રજા બાબતે કંઈ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારીશ્રી એસ.એ.ભપલનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત મદદનીશ શ્રમ આયુક્તશ્રીની કચેરી, બ્લોક નંબર એ-103, બહુમાળી ભવન, ખેરાળી રોડ, પહેલો માળ, સુરેન્દ્રનગર નો સંપર્ક કરવાનો રહેશે તેમજ 02752-282503 નંબર પર પણ સંપર્ક કરી શકાશે તેમ યાદીમાં જણાવાયું છે.

સુરેન્દ્રનગરમાં ચૂંટણીને લગતાં સાહિત્ય, ભીંતપત્રો, ચોપાનિયાં સહિતની પ્રચાર સામગ્રી પર મુદ્રક અને પ્રકાશનના નામ સરનામા છાપવા ફરજિયાત

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version