વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કલેકટર દ્વારા વિચરતી જાતિના પરિવારોને પ્લોટના હુકમો વિતરણ કરાયા
- કલેકટર દ્વારા વિચરતી જાતિના 65 પરિવારોને પ્લોટના હુકમો વિતરણ કરાયા.
- કલેકટર કે.રાજેશના હસ્તે આવા પરિવારોને પ્લોટના હુકમો વિતરણ કરાયા.

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કલેકટર દ્વારા વિચરતી જાતિના 65 પરિવારોને પ્લોટના હુકમો વિતરણ કરાયા. સુરેન્દ્રનગરના અલગ અલગ વિસ્તારમાં રહેતા વણઝારા, સલાડ, બજાણીયા તેમજ ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામે રહેતા સલાટ પરિવાર ઝૂંપડી બાંધીને તેમજ ભાડાના મકાનમાં રહે છે.
આ લોકોને રહેણાંકના પ્લોટમાં મળે તે હેતુથી વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદભાઈ વ્યાસ દ્વારા કલેકટરને રજૂઆત કરી હતી. આથી વઢવાણ તાલુકાના બાકરથળી ગામે 100 ચોરસ વાર પ્લોટ કરી કલેકટર કે.રાજેશના હસ્તે આવા પરિવારોને પ્લોટના હુકમો આજે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્લોટના હુકમો મંગળવારે કલેક્ટર કચેરી ખાતે વિતરણ કરવામાં આવતા આવા પરિવારમાં ખુશીની લહેર પણ જોવા મળી હતી અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર પણ માન્યો હતો.