કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હી તરફથી મળતી પ્રધાનમંત્રી સ્કોલરશીપની

Photo of author

By SOHAM 24 NEWS

કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હી તરફથી મળતી પ્રધાનમંત્રી સ્કોલરશીપની

અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ

  • રાજકોટના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીની અખબારી યાદી
  • નવી દિલ્હીની વેબ સાઈટ www.ksb.gov.in પર ઓનલાઈન અરજી
કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હી તરફથી મળતી પ્રધાનમંત્રી સ્કોલરશીપની અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ
કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હી તરફથી મળતી પ્રધાનમંત્રી સ્કોલરશીપની અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ

રાજકોટના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના જે માજી સૈનિકો/ દિવંગત સૈનિકોના ધર્મ પત્નીઓના તથા કોસ્ટગાર્ડના જવાનોના સંતાનોએ ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૧ર ની પરીક્ષા પાસ કરીને ૬૦% થી વધારે ગુણ મેળવેલ હોય અને બી. ટેક.-એંજીન્યરિંગ, મેડિકલ તેમજ ડેન્ટલ જેવા પ્રોફેશનલ ડિગ્રી કોર્ષમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં પ્રવેશ મેળવેલ હોય તેવા સંતાનોને પ્રધાનમંત્રીશ્રી સ્કોલરશીપ સ્કીમ હેઠળ કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હી તરફથી પુત્રને રૂપિયા ૨૫૦૦/- પ્રતિમાસ અને પુત્રીઓને રૂપિયા 3000/- પ્રતિમાસ સ્કોલરશીપ આપવામાં આવે છે.

કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હી તરફથી મળતી પ્રધાનમંત્રી સ્કોલરશીપની અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ
કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હી તરફથી મળતી પ્રધાનમંત્રી સ્કોલરશીપની અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ

જે અર્થે આ સ્કોલરશીપનો લાભ લેવા કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હીની વેબ સાઈટ www.ksb.gov.in પર ઓનલાઈન અરજી કરવાની થાય છે. જે અન્વયે અરજીની અગાઉ છેલ્લી તારીખ ૩૦/૧૧/૨૦૨૦ નક્કી કરવામાં આવી હતી પરંતુ કોવીડ-૧૯ ના કારણે પરિણામ મોડુ જાહેર થવાથી કોલેજમાં એડમીશન પ્રક્રિયા પણ મોડી થવાથી હવે પ્રધાનમંત્રી સ્કોલરશીપ સ્કીમની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખને ૩૦/૦૪/૨૦૨૧ સુધી લંબાવામાં આવી છે. જેથી ઉપર જણાવેલ માજી- સૈનિકો/ દિવંગત સૈનિકોના ધર્મ પત્નીઓના તથા કોસ્ટગાર્ડના જવાનોના સંતાનોએ કેન્દ્રીય સૈનિક બોર્ડ, નવી દિલ્હીની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ બાબતે વધુ જાણકારી મેળવવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૮૧-૨૪૭૬૮૨૫ પર સંપર્ક કરવા વધુમાં જણાવાયુ છે.

વધુ સમાચાર માટે…