વઢવાણ સુરેન્દ્રનગરમાં જુદી-જુદી જ્ઞાતિની 12 વિધવા મહિલાઓને રાશન કીટનું વિતરણ કરાયું
- સુરેન્દ્રનગરમાં જુદી-જુદી જ્ઞાતિની 12 વિધવા મહિલાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

સુરેન્દ્રનગરમાં જુદી-જુદી જ્ઞાતિની 12 વિધવા મહિલાઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરતી નિરાધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા 12 જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને રાશન કીટ આપવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર હાટકેશ્વર મંદિરનો પાટોત્સવ સાદગીપૂર્ણ રીતે યોજાયો
આ રાશન કીટ પલ્લવીબેન શશીકાંતભાઈ પરમારના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તેમના પુત્રવધૂ મૈત્રી પરમાર અને નિરધાર સ્થાપક રાજેશ રાવલ, આનંદ રાવલની ઉપસ્થિતિમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં સામાજિક કાર્યકરે આશ્ચર્યચકિત કરતી રજૂઆત કરી