રાજકોટ પાસેથી સુરેન્દ્રનગરની સર્વેલન્સ ટીમે લાખોની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા સબબ બે ઇસમોને ઝડપી લીધા
- રાજકોટ નજીકથી સુરેન્દ્રનગરની સર્વેલન્સ ટીમે છેતરપિંડીના કેસમાં બે ઇસમોને ઝડપી લીધા.
- આંગડિયા પેઢીમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી
- ખોટા નામ ધરીને તેમજ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને ગુનો

રાજકોટ નજીકથી સુરેન્દ્રનગરની સર્વેલન્સ ટીમે છેતરપિંડીના કેસમાં બે ઇસમોને નાસતા ફરતા લાખોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. સુરેન્દ્રનગરની સર્વેલન્સ ટીમ દ્વારા આંગડિયા પેઢીમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસમાં બે ઇસમોને સર્વેલન્સ ટીમે ઝડપી લઈને કાર્યવાહી કરી છે.
આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર ખાતે આવેલ વિશ્વમ આંગડિયા પેઢીમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ઈસમો અલગ અલગ ખોટા નામ ધરીને તેમજ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને ગુનો કરવા સબબ નાસતા ફરતા હતા ત્યારે આ બનાવમાં પોલીસે તપાસ શરૂ કરતાં ગણતરીના દિવસોમાં જ રૂપિયા 18,85,772 તથા 10 મોબાઈલ ફોન, 1 ફોરવિલ ગાડી આ ઉપરાંત 30 નંગ સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 24,39,572 સાથે બે ઇસમોને ઝડપી લીધા છે.
વેપારીએ કોરોના નથી તેવું સર્ટિફિકેટ રાખવું પડશે
આ બનાવમાં એ ડીવીઝન પોલીસે તારીખ 30 જૂનને બુધવારના રોજ એક પ્રેસનોટ જાહેર કરી છે. જેમાં આરોપી બ્રિજેશભાઈ ઉર્ફે ચંદ્રેશભાઈ કાંતિલાલ પાડલીયા તેમજ જેકલેશભાઈ ધીરજભાઈ સોમૈયાના નામો જાહેર કર્યા છે અને સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. એસ.વી.દાફડા તથા પોલીસ ટીમને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.
વઢવાણ સુરેન્દ્રનગર ચાર લાખથી વધુ લોકોએ પ્રથમ ડોઝ અને એક લાખથી વધુ લોકોને સેકન્ડ ડોઝ અપાયો