સુરેન્દ્રનગર વઢવાણ GIDCનો બેઠો કોઝવે બિસ્માર બનતા અકસ્માતનો ભય, સમારકામ બાબતે રજૂઆત
- જીઆઇડીસીનો બેઠો કોઝવે બિસ્માર બનતા અકસ્માતનો ભય.
- સમારકામ બાબતે રજૂઆત કરવામાં આવી.
- અસંખ્ય કામદારો આ રસ્તા ઉપરથી પસાર થાય છે.

જીઆઇડીસીનો બેઠો કોઝવે બિસ્માર બનતા અકસ્માતનો ભય. સમારકામ બાબતે રજૂઆત કરવામાં આવી. વઢવાણ જીઆઇડીસી ભોગાવો નદીમાં બિસ્માર બેઠા પુલના કારણે અકસ્માતનો ભય વાહનચાલકોને રાહદારીઓને સતાવી રહ્યો છે.
તેમજ જીઆઇડીસીમાં કામ કરવા માટે અસંખ્ય કામદારો આ રસ્તા ઉપરથી પસાર થાય છે. તેમજ વઢવાણ શહેરને જોડતો બેઠો કોઝવે હોવાથી વાહનોની સહવિશેષ અવરજવર રહેવા પામે છે. ત્યારે આ બેઠા કોઝવે ઉપર ઠેર-ઠેર ખાડાઓ પડી જવા સાથે કોઝવેનું ધોવાણ થઇ જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય ઉભો થવા પામ્યો છે. આથી સથવારે આ બેઠા કોઝવેનું સમારકામ હાથ ધરવામાં આવે તે બાબતે નગરતંત્રમાં સ્થાનિકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જોરાવરનગર પાણીની ટાંકી પાસે લારી ધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ