વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ-શોકાંજલિ અર્પણ કરતો કાર્યક્રમો યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ શોકાંજલિ અર્પણ કરતો કાર્યક્રમો યોજાયો.
![વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ-શોકાંજલિ અર્પણ કરતો કાર્યક્રમો યોજાયો](http://soham24.in/wp-content/uploads/2021/05/વઢવાણ-સુરેન્દ્રનગર-જિલ્લા-કોંગ્રેસ-કાર્યાલય-ખાતે-શ્રદ્ધાંજલિ-શોકાંજલિ-1-300x225.png)
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ-શોકાંજલિ અર્પણ કરતો કાર્યક્રમો યોજાયો. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ-શોકાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં સાદગીપૂર્વક રીતે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહીને કોંગ્રેસ સમિતિના પ્રભારી રાજીવ સાતવજીના નિધન બાદ મૌન પાળીને શોકાંજલિ અર્પણ કરી હતી.
તેમજ આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા રાજીવ ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા પ્રદેશ મંત્રી નિલેશભાઈ વાઘેલા, વિપુલભાઈ મકવાણા, નિર્મળાબેન, અમીનાબેન, નિમુબેન, સાહિર સોલંકી, સાંજ જયપુરી, દીપકભાઈ મહેતા વિગેરે હાજર રહ્યા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર નર્મદા કેનાલ પાસેથી ઈસમોએ નવી મોડસ ઓપરેન્ડી આદરી, સર્વેલન્સ ટીમે કર્યો પર્દાફાશ