વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવેલ પ્રદેશ મહામંત્રીએ વિવિધ સ્થળોની મુલાકાત લીધી
લોકચાહના મેળવી
- સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવેલ પ્રદેશ મહામંત્રીએ વિવિધ સ્થળોની મુલાકાત
- દુધરેજ વડવાળા મંદિર ખાતે દર્શન કરી પ્રસાદ લઈ મહંતના આશિર્વાદ
- માસ્ક વિતરણનો લાભ લીધો હતો
- સેવાકીય કાર્યક્રમો યોજી લોકચાહના મેળવી હતી

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવેલ પ્રદેશ મહામંત્રીએ વિવિધ સ્થળોની મુલાકાત લઇ સેવાકાર્યો કર્યા. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે આવેલ ગુજરાત પ્રદેશ યુવા મોરચા નવનિયુક્ત મહામંત્રી નરેશભાઈ દેસાઈએ વિવિધ સ્થળો ઉપર સેવાકીય કાર્યક્રમો યોજી લોકચાહના મેળવી હતી.
તેઓએ જોરાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ચાલી રહેલ રસીકરણ કેમ્પમાં પણ હાજરી આપી હતી. બાદમાં માસ્ક વિતરણનો લાભ લીધો હતો. તેમજ દુધરેજ વડવાળા મંદિર ખાતે દર્શન કરી પ્રસાદ લઈ મહંતના આશિર્વાદ પણ મેળવ્યા હતા. આ વેળાએ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા જીલ્લા મહામંત્રી હીતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ યુવા મોરચાના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર ખમીસાણા પાસેની નર્મદા કેનાલની સાયફનની બંને સાઇડ લોખંડની જાળી મુકવાની લોકમાંગ ઉઠી