વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકરનગરમાં પ્રેમ લગ્ન બાબતે મનદુઃખ રાખી માથાકૂટ કરી મારમાર્યો
ચાર સામે ફરિયાદ નોંધાઈ
- આંબેડકરનગરમાં પ્રેમ લગ્ન બાબતે મનદુઃખ રાખી માથાકૂટ કરી
- માર માર્યાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
- લોખંડના પાઇપ વડે શરીરના ભાગે ઇજા પહોંચાડી

આંબેડકરનગરમાં પ્રેમ લગ્ન બાબતે મનદુઃખ રાખી માથાકૂટ કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર આંબેડકરનગરમાં પ્રેમ લગ્ન બાબતે મનદુઃખ રાખી બોલાચાલી કરી માર માર્યાની બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવાનું શુક્રવારે જાહેર થવા પામી છે.
ત્યારે આ બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ ફરિયાદીના દીકરાએ માથાકૂટ કરનારની દીકરી સાથે અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય તેનું મનદુઃખ રાખીને ફરિયાદી તથા શાહેદ ગીતાબેન રમેશભાઈ મકવાણા સાથે બોલાચાલી કરી માથાકૂટ કરી હતી. તેમજ બાદમાં ઈસમોએ ઉશ્કેરાઈ જઇ શાહેદને લોખંડના પાઇપ વડે શરીરના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ ફરિયાદીના ડાબા પગના ભાગે પણ ઇજા પહોંચાડી ગુનો કર્યો હતો.
સુરેન્દ્રનગર વઢવાણ પ્રાંત કચેરી ખાતે વિચરતી જાતિના પરિવારોને પ્લોટની સનદો ફાળવવામાં આવી
આ બનાવની આંબેડકરનગર-1 માં રહેતા ભાવુબેન તેમજ વર્ષાબેનનો દીકરો આ ઉપરાંત વિમલ ચંદુભાઈ, જશીબેન ચંદુભાઈ સહિત ચાર સામે આંબેડકરનગર-1 માં રહેતા ફરિયાદી રમેશભાઈ ગોવિંદભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મૂળજીભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર ડેપોમાંથી સરા સહિતના ગામોમાં દોડતી એસ.ટી.બસો પુનઃ શરૂ કરવાનો લોકમાંગ ઉઠી