સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અભિવાદન સમારોહ યોજાયો
- સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અભિવાદન સમારોહ યોજાયો
- સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે
- જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
- મહિલા કાર્યકરો સાથે આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
![સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અભિવાદન સમારોહ યોજાયો](http://soham24.in/wp-content/uploads/2021/03/WhatsApp-Image-2021-03-06-at-5.37.10-PM-2-300x225.jpeg)
પાંચ નગરપાલિકા, ૧૦ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા ભાજપનાં જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ નગરપાલિકા, ૧૦ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
![સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અભિવાદન સમારોહ યોજાયો](http://soham24.in/wp-content/uploads/2021/03/WhatsApp-Image-2021-03-06-at-5.37.10-PM-300x199.jpeg)
જેમાં ભાજપના આગેવાનો, મહામંત્રીઓ, કાર્યકરો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. યોજાયેલા અભિવાદન સમારોહમાં સુરેન્દ્રનગર જિલ્લાભર માંથી મહિલા કાર્યકરો સાથે આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
-A.P : રોપોર્ટ