- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારખેતીવાડી વિભાગ મારફત ચાલતી વિવિધ યોજનાઓની અરજી માટે

ખેતીવાડી વિભાગ મારફત ચાલતી વિવિધ યોજનાઓની અરજી માટે

- Advertisement -

ખેતીવાડી વિભાગ મારફત ચાલતી વિવિધ યોજનાઓની અરજી માટે

આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

  • તમામ ખેડૂત ખાતેદારો માટે આઇ-ખેડૂત પોર્ટલને તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
ખેતીવાડી વિભાગ મારફત ચાલતી વિવિધ યોજનાઓની અરજી માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
ખેતીવાડી વિભાગ મારફત ચાલતી વિવિધ યોજનાઓની અરજી માટે
આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લાના ખેતીવાડી વિભાગ મારફત ચાલતી વિવિધ સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છતા તમામ ખેડૂત ખાતેદારો માટે આઇ-ખેડૂત પોર્ટલને તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.

વધુમાં જણાવાયું છે કે, ખેડૂત ખાતેદારોએ ખેતીવાડી ખાતા દ્વારા મળતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે ટ્રેક્ટર, ટ્રેક્ટર સંચાલીત સાધનો, સેલ્ફ સંચાલિત ખેત સાધનો, સિંચાઇના સાધનો, તાડપત્રી, દવા છાટવાના પંપ, કમ્બાઇન હાર્વેસ્ટર, પાક મુલ્યવૃધ્ધિ યોજના, પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન), માલ વાહક વાહન, સોલાર લાઇટ ટ્રેપ જેવી વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ ઓનલાઇન અરજી કરી રજુ કરવાની રહે છે. અરજી સમયે ખેડૂત ખાતેદારનો નંબર, ૮ – અ ની નકલ, આધાર કાર્ડ, જાતિનો દાખલો તથા બેન્કમાં ખોલાવેલ બચત ખાતા નંબર વગેરે કાગળોની જરૂરીયાત રહેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો વહેલામાં વહેલી તકે આઈ-ખેડૂત પોર્ટલ- www.ikhedut.gujarat.gov.in માં પોતાની અરજી કરી અરજી કર્યાના સાત દિવસમાં ઉપરોક્ત કાગળો સાથે તાલુકા મથકની ઓફિસે ઇનવર્ડ કરાવવાની રહેશે તેમજ વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...