- Advertisement -
HomeNEWSDasada - દસાડાની ગૌચર જમીનમાં મોડી રાત્રે આગ લાગી, ચારો અને એરંડા...

Dasada – દસાડાની ગૌચર જમીનમાં મોડી રાત્રે આગ લાગી, ચારો અને એરંડા બળીને ખાખ

- Advertisement -

Dasada – દસાડાની ગૌચર જમીનમાં મોડી રાત્રે આગ લાગી, ચારો અને એરંડા બળીને ખાખ

Google News Follow Us Link

Dasada's gauchar land caught fire late at night, consuming fodder and castor

દસાડામાં ગૌચર જમીનમાં ગતરાત્રે આગ લાગી હતી. જેથી આઠથી દશ ખેડૂતોની અંદાજે રૂ. ત્રણેક લાખનો ચારો અને એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. આ આગની ઘટનાના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ જતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. ખેડૂતો દ્વારા આ બાબતે દસાડા સરપંચ અને દસાડા પોલીસને લેખિત જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

દસાડા ભુતિયાવાડ સીમમાં આવેલી ગૌચર જમીનમાં ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દસાડા ગામના આઠથી દશ ખેડૂતોએ મુકેલી જારના પૂળા અને એરંડાના જથ્થામાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી અને પળવારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ખેડૂતો સહિતના ગામ આગેવાનોએ પાણીનો જોરદાર મારો ચલાવતા ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ વિકરાળ આગ માંડ કાબુમાં આવી હતી.

Dasada's gauchar land caught fire late at night, consuming fodder and castor

આ ભયાવહ આગની ઘટનામાં દસાડા ગામના આઠથી દશ જેટલા ખેડૂતોના અંદાજે રૂ. ત્રણેક લાખની ચાર અને એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. આ આગની ઘટનાના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ જતા ખેડૂતો પાયમાલ બન્યા હતા. ખેડૂતો દ્વારા આ બાબતે દસાડા સરપંચ અને દસાડા પોલીસને લેખિત જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ અંગે દસાડા ગામના અસરગ્રસ્ત ખેડૂત આગેવાન વેરશીભાઇ ડેડવાડીયા, નાનજીભાઈ મકવાણા અને સેંધાભાઈ ભરવાડે આક્રોશ સાથે જણાવ્યું કે, દસાડાની ગૌચર જમીનમાં મુકેલા અમારા જારના પૂળા અને એરંડાના જથ્થામાં ભયાવહ આગ લાગતા અમારા અંદાજે રૂ. ત્રણેક લાખની કિંમતના અંદાજે 2,000 પૂળા અને 250 મણ જેટલાં એરંડા બળીને ખાખ થઇ ગયા હતા. તો આ ઘટનામાં કોઈ એ જાણી જોઈને આગ લગાવી હોવાની આશંકાએ અમેં દસાડાના સરપંચને રૂબરૂ મળીને રજૂઆત કરવાની સાથે આ ઘટના બાબતે ન્યાયિક તપાસ માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

Ranpur – પિતાએ પુત્રને સાથે રાખી ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Complaint of land grabbing – દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

Complaint of land grabbing - દસાડાના બજાણામાં તલાવડીનું માટીથી પુરાણ કરી જુવારનું વાવેતર કરી દેવાયું, સરકારી અને ખાનગી જમીન પર કબજો કરતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ Google News Follow Us Link દસાડા તાલુકાના બજાણા ગામની સીમમાં સરકારી જમીન પર તલાવડી આવેલી હતી. આ તલાવડીમાં પશુ પંખીઓ પાણી પીતા હતા. જેમાં માટીથી બુરાણ કરીને ગામના સીદાર હબીબભાઇ સીપાઈએ જુવારનું વાવેતર કરી દીધું હતુ. આ ઉપરાંત તેને અડીને આવેલી...