ગણપતિ ફાટસર વિસ્તારમાં પૈસાની લેતી-દેતીનું મનદુઃખ રાખી માર માર્યાની ત્રણ સામે ફરિયાદ નોંધાઇ
- વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં પૈસાની લેતી-દેતીનું મનદુઃખ રાખીને માર માર્યાની ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
![ગણપતિ ફાટસર વિસ્તારમાં પૈસાની લેતી-દેતીનું મનદુઃખ રાખી માર માર્યાની ત્રણ સામે ફરિયાદ નોંધાઇ](http://soham24.in/wp-content/uploads/2021/03/ગણપતિ-ફાટસર-વિસ્તારમાં-પૈસાની-લેતી-દેતીનું-મનદુઃખ-રાખી-માર-માર્યાની-ત્રણ-સામે-ફરિયાદ-નોંધાઇ.png)
વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં પૈસાની લેતી-દેતીનું મનદુઃખ રાખીને માર માર્યાની ત્રણ સામે પોલીસ ફરિયાદ
નોંધાઇ. વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રિધ્ધિ નગર સોસાયટી ખાતે પૈસાની લેતી-દેતી બાબતે મનદુઃખ રાખીને લાકડીથી તેમજ ઢીકાપાટુનો મારમારીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની રિધ્ધિ નગર સોસાયટી પાસે રહેતા નિલેશભાઈ ભલાભાઈ વાઘેલાએ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા ગેલાભાઈ સોલંકી, ડાયાભાઈ અને રાજેશભાઈ સોલંકી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ મહિલા હેડ કોન્સ્ટેબલ વસંતીબેન ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક લેન્ડ ગ્રેબિંગ બાબતે ફરિયાદ નોંધાઈ