સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

Photo of author

By rohitbhai parmar

Coordinating Committee – સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

સુરેન્દ્રનગર કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ સરકારી કર્મચારીઓનાં બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

સંકલનની ભાગ-1ની બેઠકમાં ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણએ સુરેન્દ્રનગર જિલ્લામાં સૂક્ષ્મ, લઘુ અથવા મધ્યમ ઉદ્યોગો સ્થાપવા માટેની આવતી અરજીઓ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં સબસીડી માટે આવેલ અરજીઓ મંજૂર કરવા બાબતે તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મોહનભાઈ ડોરીયાએ ધ્રાંગધ્રા તાલુકાના કોપરણી ગામે 100 ચોરસ વાર ઘરથાળના પ્લોટનો કબજો આપવા બાબતે વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા.

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત વિભાગનાં અમલીકરણ અધિકારીશ્રીઓને પ્રશ્નોના સમયમર્યાદામાં નિકાલ કરવાની સુચના આપી હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બબુબેન પાંચાણી, દસાડા ધારાસભ્યશ્રી પી. કે. પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત, નિવાસી અધિક કલેકટરશ્રી દર્શના ભગલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર.એમ રાયજાદા, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડૉ.ભીમરાવ આંબેડકર જન્મજયંતી – સુરેન્દ્રનગર ખાતે ડૉ.ભીમરાવ આંબેડકર જન્મજયંતીની હર્ષભેર ઉજવણી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link