વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી
- સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી.
- ખેડૂતોને પડયા ઉપર પાટુ સમાન આ ભાવ વધારો સાબિત થઇ રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ખેડૂતો માટે રાહતરૂપ નિર્ણય લેવાની પંથકના ખેડૂતોમાંથી માંગ ઉઠવા પામી છે ત્યારે ખાતરમાં ભાવ વધારો કરવામાં આવતા ખેડૂતોને પડયા ઉપર પાટુ સમાન આ ભાવ વધારો સાબિત થઇ રહ્યો છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR અને એન્ટીજન ટેસ્ટિંગ તેજ બનાવાયું
આથી આ ભાવવધારો પાછો ખેંચવાની પંથકના ખેડૂતો માંગ કરી રહ્યા છે. વધુમાં ખેડૂતો જણાવી રહ્યા છે કે એક બાજુ ડીઝલના દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોનાના કારણે માર્કેટિંગ યાર્ડ પણ બંધ રહેતા પાકની જણાસના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. આથી ખાતરનો ભાવ વધારો ખેડૂતો માટે અશક્ય હોવાથી તાત્કાલિક આ ભાવવધારો પાછો ખેંચવાની પંથકના ખેડૂતોએ માંગ કરી છે.
સુરેન્દ્રનગર વઢવાણ નગરા ગામેથી પોલીસે જુગાર રમતા 10 ઈસમોને ઝડપી લીધા