- Advertisement -
HomeNEWSસરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું, જુઓ તસવીરોમાં જગતના નાથના આભુષણો

સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું, જુઓ તસવીરોમાં જગતના નાથના આભુષણો

- Advertisement -

સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું, જુઓ તસવીરોમાં જગતના નાથના આભુષણો

1 જુલાઈ અષાઢી બીજના દિવસે જગતનો નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળશે. જગન્નાથપુરી બાદ અમદાવાદની જગન્નાથ યાત્રા પણ તેટલી જ પ્રસિદ્ધ છે. તેવામાં શહેરમાં આવેલા જગન્નાથ મંદિરથી નીકળનારી આ 145મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. તો બીજી તરફ ભગવાન હાલ સરસપુર ખાતે પોતાના મામાના ઘરે પહોંચ્યા છે.

Google News Follow Us Link

Lord Jagannathji's mamru filled in Saraspur, see the charms of Jagat Nath in pictures

કોરોનાના મહામારીના બે વર્ષ બાદ ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાશે. રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ ભગવાન અત્યારે સરસપુર ખાતે તેમના મામાના ઘરે છે. જ્યાં ભગવાનની ભવ્ય આગતા સ્વાગતા અને તેમને લાડ લડાવવામાં આવી રહ્યા છે. રોજ અવનવી વાનગીઓ તેમને પીરસવામાં આવી રહી છે ત્યારે આજે સાંજે તેમને મગસનો મનોરથ ધરાવવામાં આવશે. આશરે 700 કિલો જેટલો મગનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે ભગવાનને આજે મનોરથ કરાવ્યા બાદ પ્રસાદરૂપે લોકોને આ મગસના લાડુ આપવામાં આવશે. આ દરમિયાન ગઈકાલે ભગવાનનું મામેરુ ભરવામાં આવ્યું હતું.

જગતના નાથનું મામેરુ

ભગવાન જગન્નાથ 1 જુલાઈ અષાઢી બીજના રોજ નગરયાત્રાએ નીકળશે. અમદાવાદમાં આ તેમની 145મી નગરયાત્રા બનશે.

Lord Jagannathji's mamru filled in Saraspur, see the charms of Jagat Nath in pictures

સરસપુર ખાતે મામાના ઘરે ભગવાન

આ દરમિયાન રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ દ્વારા રથયાત્રાના રુટ પર નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

આ બાજુ રથયાત્રા માટે તડામાર તૈયારીઓ

આગામી 30મી જૂન અને 1લી જુલાઈના રોજ શહેરના આ વિસ્તારો નો પાર્કિંગ ઝોનમાં હશે. વાંચો લો નામ-

જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ખમાસા, ગોળ લીમડા, આસ્ટોડિયા ચકલા, મદન ગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા જૂની ગેટ, ખાડીયા ચાર રસ્તા, પાંચકુંવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમ દરવાજા, જોર્ડનરોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી

આર.સી હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકેથી માણેકચોક શાકમાર્કેટ, દાણા પીઠ, ખમાસાથી જગન્નાથ મંદિર સુધીનો રસ્તો નો પાર્કિંગ ઝોન રહેશે.

Lord Jagannathji's mamru filled in Saraspur, see the charms of Jagat Nath in pictures

જુઓ મામેરામાં મામાએ શું આપ્યું

તો આ વખતે રથયાત્રામાં પોલીસ વધુ ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. પહેલીવાર રથયાત્રામાં પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી રથયાત્રાનું મોનિટરીંગ કરવામાં આવશે. જે માટે ખાનગી કંપનીનું હેલિકોપ્ટર 3 કલાક માટે ભાડે રાખવામાં આવશે.જે રથયાત્રાના રુટ પર 150 મીટરની ઉંચાઈથી ઉડશે.

સુરેન્દ્રનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો

વધુ સમાચાર માટે…

આઈ એમ ગુજરાત

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Chotila – ચોટીલા સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચીને હલ્લાબોલ કર્યો

Chotila - ચોટીલા સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચીને હલ્લાબોલ કર્યો Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. જેમાં ચોટીલા શહેર ઘણા સમયથી અલગ અલગ સમસ્યાથી ઘેરાયેલું છે, ત્યારે ફરી એકવાર સુખપરાના મહીલાઓ અને પુરુષો રજૂઆત કારવા નગરપાલિકાએ પહોંચ્યા હતા.અને ચોટીલા ચીફ ઓફિસરને પાણી, ગટર અને રોડ વિશે ઉગ્ર રજૂઆત કરવામાં આવી...