સુરેન્દ્રનગર જોરાવરનગર એકલવ્ય સ્કૂલ ઉદ્ઘાટન પ્રસંગે લોકસેવા કરનાર આગેવાનોને બિરદાવી સન્માનિત કરાયા
- જોરાવરનગર સ્કુલ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત આગેવાનોની લોકસેવાને બિરદાવી
- એકલવ્ય સ્કૂલનું ઉદ્ઘાટન કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.
![સુરેન્દ્રનગર જોરાવરનગર એકલવ્ય સ્કૂલ ઉદ્ઘાટન પ્રસંગે લોકસેવા કરનાર આગેવાનોને બિરદાવી સન્માનિત કરાયા](http://soham24.in/wp-content/uploads/2021/06/સુરેન્દ્રનગર-જોરાવરનગર-એકલવ્ય-સ્કૂલનું-ઉદ્ઘાટન-કાર્યક્રમ-તાજેતરમાં-યોજાયો-હતો-300x225.png)
જોરાવરનગર સ્કુલ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત આગેવાનોની લોકસેવાને બિરદાવી. જોરાવરનગર ખાતે આવેલ એકલવ્ય સ્કૂલનું ઉદ્ઘાટન કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. આ પ્રસંગે સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય તેમજ સુરેન્દ્રનગર જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ હેતલબેન જાનીએ આ વેળાએ ઉપસ્થિત રહીને સ્કૂલ સંચાલકો અને શાળા પરિવારને શુભેચ્છા પાઠવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ-શોકાંજલિ અર્પણ કરતો કાર્યક્રમો યોજાયો
આ પ્રસંગે સ્કૂલ પરિવાર દ્વારા આગેવાનોને ભેટ સોગાત આપી તેમજ તેઓની લોકો પ્રત્યેની લાગણીની બિરદાવી હતી. આ પ્રસંગે સ્કૂલ પરિવાર તેમજ આચાર્યએ ઉપસ્થિત રહીને બન્ને આગેવાનોનું સન્માન પણ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલ પરિવારે જહેમત ઉઠાવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલય દ્વારા કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય