સુરેન્દ્રનગર વઢવાણ દેદાદરા ગામના પાટિયા પાસે પીજીવીસીએલના થાંભલા ઉભા કરવાની કામગીરી શરૂ કરી
- વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ થી ત્રણ કિલોમીટર દૂર છે.
- પીજીવીસીએલના થાંભલા ઉભા કરવાની કામગીરી
- યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું.
![સુરેન્દ્રનગર વઢવાણ દેદાદરા ગામના પાટિયા પાસે પીજીવીસીએલના થાંભલા ઉભા કરવાની કામગીરી શરૂ કરી](http://soham24.in/wp-content/uploads/2021/05/સુરેન્દ્રનગર-વઢવાણ-દેદાદરા-ગામના-પાટિયા-પાસે-પીજીવીસીએલના-થાંભલા-300x225.png)
વઢવાણ તાલુકાના દેદાદરા ગામના પાટિયા પાસે પીજીવીસીએલના થાંભલા ઉભા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું.
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ થી ત્રણ કિલોમીટર દૂર છે. દેદાદરા ગામના પાટિયા પાસે પીજીવીસીએલના આઠ જેટલા થાંભલાઓ વાવાઝોડાના કારણે ધરાશાયી થતા આ બાબતે કોઠારીયાના આગેવાન કાનજીભાઇ રાજપૂતે પીજીવીસીએલ તંત્રને જાણ કરી હતી.
આથી કોઈ જાનહાની થાય તે પહેલાં થાંભલાઓ ફરી ઉભા કરવા બાબતે પીજીવીસીએલ તંત્રે અગ્રતા દાખવી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી આ વિસ્તારમાં વીજ લાઈનના થાંભલાઓ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર પાન સેન્ટર ધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ